________________
હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૩ - ભાગ લઈ શકે તેટલા મુઠ્ઠીભર લોકો પણ તૈયાર થઈ શક્યા નથી !
પહેલાંની પરદેશી ચડાઈ વખતે તો ચડાઈ કરનારાઓ માલમતા લૂંટીને કાં તો ચાલ્યા જતા, કે દેશના રાજા થઈને જ રહેતા. જ્યારે તેઓ લૂંટ લઈને જ ચાલ્યા જતા, ત્યારે હિંદુસ્તાનને અલબત્ત ભારે ક્ષતિ થતી; પરંતુ થોડા જ વખતમાં લેકે વધુ ઉદ્યોગ વડે તે ક્ષતિ પૂરી કરી લેતા. પરંતુ જ્યારે તેઓ રાજકર્તા બનીને જ દેશમાં રહેતા, ત્યારે વ્યક્તિગત રાજા પ્રમાણે તેનું રાજ્ય ગમે તેવું હતું, પણ દેશને આર્થિક કે નૈતિક નુકસાન પહોંચતું નહોતું. કારણ કે દેશની પેદાશ અને દેશને અનુભવ દેશમાં જ રહેતાં. પરંતુ અંગ્રેજી રાજ્યની વાત જુદી જ છે. અંગ્રેજોએ તે હિંદુસ્તાન કે આજુબાજુના બીજા દેશો જીતવા જે જે લડાઈએ તેમને લડવી પડી, તેનું ખર્ચ પણ હિંદુસ્તાનને માથે જાહેર દેવારૂપે માર્યું છે, અને પછી પણ તે ઘા તેઓ દર વર્ષે આગળ જણાવેલી રીતોએ મોટો ને મેટ જ કરતા જાય છે. પહેલાના રાજાઓ કસાઈની પેઠે અહીંતહીં થોડીક કતલ કરતા; પરંતુ અંગ્રેજે તો વિજ્ઞાનશાસ્ત્રીઓ રહ્યા; એટલે તેમણે તો છેક હદય સુધી ઘા કર્યો છે, છતાં બહારથી તે જરાય દેખાતે નથી. માત્ર સુધારાની, પ્રગતિની અને તેવી કેટલીય બેટી * મોટી વાતોનું લાસ્ટર જ દેખાય છે !
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org