________________
હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૧ પાર્લમેન્ટના ઠરાવો કે રાજારાણીના ઢેરા ગમે તે કહે, પણ હિંદીઓની જગાએ તેમને નીમવા જ જોઈએ.
પરંતુ, આ બધાનું પરિણામ શું આવશે? કોઈ તેજી ઘોડાને લગામ વિના છૂટો મૂકે, તે તે આજુબાજુ ઘમસાણ જ મચાવે. અત્યારે તે જુવાન વર્ગની બૂમ બહુ ધીમી છે. હજુ તે વર્ગના ખ્યાલો પૂરા બંધાયા નથી કે વિકસ્યા નથી. પરંતુ વખત જતાં તે કેવા નીવડશે, તે ખુદા જ જાણે છે ! જે જીવતો રહેશે તે જોશે કે અત્યારની રીતે જ જે હિંદુસ્તાનને આર્થિક તેમ જ નૈતિક સ્ત્રાવ ચાલુ રહ્યો, તો કાં તો જુલમ અને વિનાશની લોખંડી એડી નીચે હિંદુસ્તાન છેક જ કચરાઈ જશે, અથવા તો તે વિનાશક સત્તાના કુરચે કુરચા ઉડી જશે. અંગ્રેજી રાજ્યનો હિંદુસ્તાનમાં એ રીતે જ અંત આવે, એવી મારી ઇચ્છા કે પ્રાર્થના નથી. કારણ કે, હું એમ માનું છું કે, અંગ્રેજી રાજ્યમાં જ એવાં તો મેજૂદ છે કે, જેથી હિંદુસ્તાનનું તેમ જ ઇંગ્લેંડનું અનેક રીતે ભલું થઈ શકે તેમ છે. તેથી કરીને, અંગ્રેજ રાજપુરુષ અને અંગ્રેજ પ્રજાની ન્યાયવૃત્તિ અને ઉદાર અંતર ઉપર હિંદીઓને જ્યાં સુધી વિશ્વાસ છે, ત્યાં સુધી કઈ વિચારવંત હિંદી તે રાજ્યને ઊની આંચ આવે એમ ઇને નથી.
અંગ્રેજો એવી મદાર રાખે છે કે, હિંદુસ્તાનની વિવિધ જાતિઓ અને પ્રજાને ભેદ અને કુસંપ ઉપર જ અંગ્રેજી રાજ્ય સહીસલામત રાખી શકાશે. જે અંગ્રેજો સુરક્ષિતતાની આવી મૂઢ નિદ્રામાં સૂતેલા છે, તેમને આજુબાજુ શું ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org