________________
૧૨૦
હિંદુસ્તાનની ગરીબાઈ તેમને માટે ઉચિત કાર્યક્ષેત્રો પૂરાં નહીં પાડીએ, તો આપણે આપણા સામ્રાજ્યના વિનાશને નજીકમાં લાવનારાં ત જ ઊભાં કરીશું.' - પિતાના સ્વાભાવિક રાષ્ટ્રીય આગેવાનોનાં અનુભવ અને ડહાપણની દોરવણ વિના, અત્યારની ઊગતી પ્રજાને જે કેળવણી મળે છે, તે તેમને સ્વાભાવિક રીતે જ એવા રસ્તાઓમાં દોરી જાય છે, કે જે રાજકર્તાઓના હિતમાં જરાય નથી. તેઓ ગેરરસ્તે ચડી જાય છે એમ તમારે કહેવું હોય, તો ભલે કહો; પરંતુ એટલું તો નક્કી જ, કે દેશને શિક્ષિત વર્ગ દેશના રાજતંત્રને મુખ્ય આધારસ્તંભ હોવો જોઈ એ, તેને બદલે હિંદુસ્તાનને શિક્ષિત વર્ગ પોતાના રાજતંત્રનો સૌથી કટ્ટો દુશ્મન બનતો જાય છે. આમાં વાંક હોય તો તે રાજ્યકર્તાઓને પિતાનો છે. તે વર્ગની શક્તિ અત્યારે ભલે થેડી હાય; પરંતુ વખત જતાં તે સારા કે માઠા માટે પોતાની અસર જમાવશે જ. એ વસ્તુસ્થિતિને દમનનીતિ વડે કે બીજા ભાગે વડે પિતાની આંખો બંધ કરીને ભલે અંગ્રેજે જવાની ના પાડે; પરંતુ તે વસ્તુસ્થિતિ ઊભી થતી જાય છે એમાં શંકા નથી. દર વર્ષે યુનિવર્સિટીઓ જે હજારે યુવકેને બહાર મોકલે છે, તેઓ પિતાને ઘણી વિચિત્ર દશામાં આવી પડેલા જુએ છે. તેમની પોતાની જ માતૃભૂમિમાં તેમને માટે કશું સ્થાન જ નથી ! તેઓ ભલે રસ્તામાં ભીખ માગે, કે પથરા ફેડે; પરંતુ રાજકર્તાઓને તેની કશી પડી નથી. તેઓ ભલે ભૂખે મરી જાય, કે બીજું જે કાંઈ તેમને ઠીક લાગે તે કરે, પણ ઈગ્લેંડમાંથી તે દર વર્ષે સેંકડે અંગ્રેજો હિંદુસ્તાનમાં જવા જ જોઈએ, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org