________________
હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૧૩ મેળવવી પડે છે, ઉપરાંત, તેટલી જ બીજી આવક ગરીબ અને ભૂખે મરતાં માણસેના ચપટી મીઠા ઉપર ભારે કરી નાખીને મેળવવી પડે છે. તે આવક ન હોય તો હિંદુસ્તાનમાંથી તેટલી નવી રકમ કેમ કરીને ઊભી કરી શકાય, એ નિરાશાજનક પ્રશ્ન તેને પૂછવો પડે છે. એ વસ્તુ તેને પિતાને માટે જ શરમ ભરેલી નથી ? અંગ્રેજો જેવી અકલમંદ પ્રજા હિંદી પ્રજાની સ્વાભાવિક અને સુખપૂર્ણ સમૃદ્ધિ દ્વારા હિંદુસ્તાન જેવા દેશમાંથી પિતાને જોઈતી મહેસૂલ ન મેળવી શકે, એ આ પ્રગતિમાન જમાનામાં નવાઈની વાત છે.
અત્યારે હિંદુસ્તાનના લકે ઇંગ્લેંડ પાસેથી માથાદીઠ વાર્ષિક માત્ર ૩ શિલિંગ જેટલો માલ ખરીદે છે. પરંતુ હિંદુસ્તાનના લોકો સમૃદ્ધિમાન હોય, તે માથાદીઠ ૧ પાઉડ જેટલો માલ ઇંગ્લેંડ પાસેથી કેમ ન ખરીદે ? તો પછી ઈગ્લેંડને બીજા કોઈ દેશમાં પોતાનો માલ વેચવા જવું પણ શું કામ પડે ? પરંતુ તેમ થવા માટે તે હિંદુસ્તાનનું અત્યારનું અસ્વાભાવિક છેષણ અટકાવવું જોઈએ અને તેને પ્રથમ સમૃદ્ધ થવા દેવું જોઈએ. તે પછી હિંદુસ્તાન અત્યાર કરતાં પણ ઈગ્લેંડને વધુ લાભદાયક નીવડે, એમાં શંકા નથી.
• તેમાં પણ યાદ રાખવા જેવું તો એ છે કે, ઇંગ્લંડમાં તો અફીણ તેમ જ તેવી બધી વસ્તુઓને અમુક ખાસ પરવાનાવાળા દવાવાળાઓ જ રાખી શકે છે અને દાક્તરના પરવાનાવાળાને જ વેચી શકે છે, જ્યારે હિંદુસ્તાનમાં તો દરેક શેરીને ખૂણે જાહેર મકાનમાં તે ઝેર વેચવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org