________________
- હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૧૧
હવે દેશના આંતરિક વેપારની આવક જોઈએ. તેથી પણ દેશની કુલ પેદાશમાં કશે નો ઉમેરો નથી થત; પરંતુ નાણાં અને પેદાશને માત્ર હાથફેર થાય છે. એ વસ્તુ આપણે અગાઉ જોઈ આવ્યા છીએ, મિ. ડેન્ડર્સે જણાવેલી પગાર અને પેન્શનની આવક પણ દેશની પેદાશમાં કશે નવો ઉમેરે નથી કરતી, એ ઉઘાડું જ છે. કારણ કે, દેશની પેદાશમાંથી ૬૫,૦૦૦,૦૦૦ પાઉંડની જે ભારે રકમ સરકાર મહેસૂલ પેટે લઈ લે છે, તેમાંથી જ બધા પગાર કે પેશને ચુકવાય છે. ઉપરાંત, હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય હેઠળના રાજતંત્રમાં જે થોકબંધ પરદેશી અંગ્રેજોને મોટા મોટા પગારોએ જ્યાં ને ત્યાં નોકરી આપવામાં આવી છે, તે કારણે ઉપર જણાવેલી ૬૫,૦૦૦,૦૦૦ પાઉંડની મહેસુલમાંથી ૩૦,૦૦૦,૦૦૦ થી ૪૦,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલો મોટો ભાગ પરદેશીઓનાં ખિસ્સામાં જાય છે. સામાન્ય સ્થિતિ તો એવી હોય કે, સરકારે પ્રજાની પેદાશમાંથી લીધેલું મહેસૂલ પગાર વગેરે મારફતે દેશને જ પાછું મળે અને દેશમાં જ રહે. પરંતુ, અહીં તો ઉપર જણાવેલી વિપરીત દશા વર્તે છે; અને વસ્તુતાએ દેશની ખરી ખાનાખરાબીનું એ જ મૂળ છે. મિ. ડેન્ડર્સ પોતાના જ પગારની વાત તપાસી જુએ તો તેમને ખબર પડશે કે, તે પગારની રકમથી હિંદુસ્તાનની સંપત્તિમાં ન વધારે થવાને બદલે દેશની પેદાશમાં તેટલે ખાડો જ પડ્યો છે !
આ જ રીતે “ખેતી સિવાયની મજૂરીની આવક, દાક્તરી વગેરે ધંધાની આવક, વ્યાજે મૂકેલી રકમેની - આવક, તેમ જ તેવાં બીજાં બધાં સ્થાનેની આવકથી' પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org