________________
"૧૧૦
હિંદુસ્તાનની ગરીબાઈ દેશની વાસ્તવિક પદાશમાંથી જ ઉઘરાવેલી હશે! એટલે સરકારી સીક્યોરિટીઓમાંથી થયેલી મારી ૪૦૦૦ રૂપિયાની આવક, દેશની કુલ પેદાશમાંથી મેં લીધેલ હિસ્સ જ છે. એટલે દેશની કુલ પેદાશમાં તેનો સમાવેશ થઈ જ ગયો છે. તેને કારણે દેશની કુલ પેદાશમાં કશે નવા ઉમેરે કરવાનો નથી.
તે જ પ્રમાણે મિ. ડેન્ડર્સે જણાવેલી “સ્થાવર મિલકત'ની આવકનું પણ સમજવું. મેં ઘર ભાડે આપ્યું હોય, તો તે ઘર પતે કાંઈ કશું નવું પેદા નથી કરવાનું. માત્ર દેશની પેદાશને હાથફેર થવાનું છે. ભારે ભાડુઆત મને જે ભાડુ આપશે, તે કાં તો ખેતીની પેદાશમાંથી કે હુન્નરઉદ્યોગની પેદાશમાંથી જ આપશે. એટલે તેનો સમાવેશ તે તે રકમની ગણતરીમાં થઈ જ ગયો છે.
હવે આપણે વેપારનો નફે તપાસીએ. પ્રથમ તો પદેશ સાથેનો વેપાર જઈ એ. એ વાત તો સાચી છે કે, પરદેશ સાથેના વેપારમાં જે નફો થાય, તે દેશની સમૃદ્ધિમાં નવા ઉમેરારૂપ જ કહેવાય. પરંતુ કમનસીબે હિંદુસ્તાનની સ્થિતિ તે બાબતમાં ઊલટી છે. ઈ. સ. ૧૮૭૧થી ૧૮૭૮ સુધીના આંકડા તપાસતાં માલૂમ પડે છે કે, હિંદુસ્તાનની ૪૮૫,૧૮૬,૭૪૯ પાઉંડ જેટલી નિકાસ ઉપર કશો નકે પાછો આવવાને બદલે કુલ ૩૪૨,૩૧૨,૭૯૯ પાઉડની જ કુલ આયાત તે વર્ષો દરમ્યાન થઈ છે; એટલે કે વર્ષ દહાડે કુલ ૧૮,૦૦૦,૦૦૦ પાઉંડ ઊલટા દેશમાંથી ઓછા થયા છે. પદેશ સાથેના વેપારમાંથી આપણને બીજા દેશોની જેમ ૧પ કે ૨૦ ટકા નફે મળવાને બદલે, દેશની નિકાસનો જ ૩૦ ટકા જેટલો ભાગ ઊલટે પરદેશમાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org