SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૦૩ મહેસૂલ ભરે કે કપડાંલત્તાં ખરીદે અથવા પોતાના બીજા મજૂરે કે આશ્રિતને આપે. હવે માણસદીઠ રોજનું દોઢ. રતલ અનાજ જોઈએ એમ ગણતાં, વર્ષે દહાડે એક માણસને પપ૦ રતલ અનાજ જોઈએ. હવે પંજાબ પ્રાંતની ખેતીની કુલ પદાશ ખેડૂતવર્ગની વસ્તીમાં જ વહેચી નાખીએ, તથા કુલ પેદાશમાંથી ખાધાખર્ચ માટે ગયેલા ભાગ ઉપરાંત ૬૩ ટકા બી માટે જાય, ૬૩ ટકા ઢોરના ખાણ પેટે જાય તથા. ૨ ટકા નકામા જાય, એમ ગણતાં બાકી રહેતી ખેતીની પેદાશમાંથી માથાદીઠ વર્ષે દહાડે ૨૪ રૂપિયા બીજી જરૂરિયાત. માટે ખેડૂત પાસે બાકી રહે. “ ખેડૂત સિવાયની પંજાબની વસ્તી ૭,૯૨૧,૮૪૮ જેટલી છે. અનાજની કુલ પેદાશમાંથી ખેડૂતોના રાકના.. ઢોરના ખાણના, તથા બી વગેરેના દાણા બાદ કરતાં બાકીની. વસ્તી માટે કુલ ૫,૪૦૧,૧૫૧,૦પ૯ રતલ દાણા બાકી. રહે છે. તેને માટે પણ માથાદીઠ પપ૦ રતલ દાણા. ગણતાં પંજાબ પ્રાંતમાં વર્ષે દહાડે ૧,૦૯૪,૧૭૪,૬૫૯ રતલ દાણ વધે છે. એટલે કે, પંજાબમાં જેટલું ધાન પાક છે, તેમાંથી તેની આખી વસ્તીને ખોરાક મળી રહે છે. એટલું જ નહીં પણ તેમાંથી ઘણો ભાગ બહાર વેચીને પૈસા. પેદા કરી શકાય તેમ છે. ઉપર જણાવ્યું તેમ હુન્નરઉદ્યોગમાં વસ્તીનાં ૪,૫૦૦,૦૦૦ માણસો રોકાયેલાં છે. પરંતુ મિ. દાદાભાઈ હુન્નર ઉદ્યોગની કુલ આવક ૧,૮૪૦,૦૫૮ રૂપિયા એટલે કે માથાદીઠ ૯ રૂપિયા જ ગણે છે. વસ્તીને આટલો મોટો ભાગ વાર્ષિક એટલી જ આર્વક માટે શા માટે વૈતરું કર્યા કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy