SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ જામીનગીરીઓવાળી રકમોના વ્યાજની આવકથી, સ્થાવર મિલકતની આવકથી, વેપારના નફાથી, પગારથી, પિનથી, ખેતી સિવાયની મજૂરીની આવકથી, દાક્તરી વગેરે ધંધાઓની આવકથી વગેરે. તે બધું તો મિ. દાદાભાઈ એ ગણતરીમાં જ લીધું નથી. ૩. “ઈ. સ. ૧૮૭૧ની વસ્તીપત્રકમાં જણાવ્યા પ્રમાણે બ્રિટિશ પંજાબની કુલ ૧૭,૬૧૧,૪૯૮ની વસ્તીમાંથી ૯,૬૮૯,૬૫૦ ખેડૂતો છે; તેમ જ ૧,૭૭૬,૭૮૬ પુખ્ત વયના પુરુષ એટલે કે તેમના કુટુંબ સાથે ગણતાં વસ્તીનાં ૪,૫૦૦,૦૦૦ મનુષ્ય દુરઉદ્યોગમાં રોકાયેલાં છે. આમ, ખેતી કે હુરઉદ્યોગ ઉપર આધાર ન રાખનાર એવાં કુલ ૩,પ૦૦,૦૦૦ માણસે રહે છે, કે જેમની આવક ખેતી કે. હુન્નરઉદ્યોગ સિવાયનાં બીજા સાધનો દ્વારા આવતી હોય છે. ૪. “મિ. દાદાભાઈ પંજાબની માથાદીઠ વાર્ષિક આવક ૨૦ રૂપિયા જણાવે છે, અને સામાન્ય મજૂરનું માથાદીઠ વાર્ષિક ખર્ચ ૩૪ રૂપિયા જણાવે છે. તો પછી ૨૦ રૂપિયાની આવકમાંથી પંજાબના લોકે ૩૪ રૂપિયાનું ખર્ચ શી રીતે કરે છે, અને જીવતા રહે છે, તે જણાવવાની છે તે તલ્દી જ લેતા નથી. ૫. “મિ. દાદાભાઈના જ આંકડા કબૂલ રાખીએ, તો પણ બીજી રીતે દલીલ કરવાથી એમ બતાવી શકાય તેમ છે કે, પંજાબને ખેડૂત ગરીબ હોવાને બદલે આબાદીની સ્થિતિમાં છે. ખેતીની પેદાશ તો જે પકવે તેની જ કહેવાય. તે પેદાશમાંથી તે પ્રથમ પોતાનું અને પિતાના કુટુંબનું ભરણપોષણ કરે; અને બાકી રહે તેમાંથી કેટલોક ભાગ વેચીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy