________________
વચનભગ તેના જવાબમાં ૨૫મી જાન્યુઆરીએ મને જણાવવામાં આવ્યું કે, મહારાણુએ લશ્કરી વજીરને, તે મંજૂર રાખેલાં ધારાધોરણનો અમલ કરવાની, તેમને અર્થ કરવાની તથા તે અનુસાર વિગતવાર સુચનાઓ બહાર પાડવાની પૂરી સત્તા આપેલી છે.
તેના જવાબમાં મેં ૨૬મી જાન્યુઆરીએ લખ્યું કે, “કાદ પણ વજીર પાર્લમેન્ટને કાયદાની કે મહારાણુના
દેરાની ઉપરવટ જઈને કોઈ પણ ધારાધોરણને અર્થ કે તેની વિગતો કેવી રીતે નકકી કરી શકે? જો એમ જ હોય, તો પછી શાહી ઢંઢેરાએ અને પાર્લામેન્ટને કાયદાએ તો માત્ર છેતરપિંડી જ કરે; કારણ કે એક બાજુ મહારાણી જાહેર કરે કે, હિંદી પ્રજાજનોને બ્રિટિશ પ્રજાજનોની સમાન ગળી, બ્રિટિશ સરકારની બધી નોકરીઓમાં દાખલ કરવામાં આવશે, અને બીજી બાજુ તે પિતાના વજીરને પિતાના ઢેરામાં સ્પષ્ટ જાહેર કરેલી વસ્તુને જ ભંગ કરવાની સત્તા આપી, તે ઢઢેરા ઉપર પાણી ફેરવે, એ ન માની શકાય તેવી વસ્તુ છે. માટે હું હજુ પણ મારા મુદ્દાને વળગી રહું છું કે, તમને તે ઢઢેરાની ઉપરવટ જઈને, હિંદીઓને બાતલ રાખવાની સત્તા છે?
આને ત્રણ મહિના સુધી કશે જવાબ ન મળવાથી મેં ૧૨મી મેને દિવસે ફરી કાગળ લખ્યો, ત્યારે રપમી મેને દિવસે મને જણાવવામાં આવ્યું કે, “અત્યાર સુધી વજીરે આપેલા જવાબમાં તેમને નવું કશું ઉમેરવાનું નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org