________________
હિંદી વજીરની કચેરીનો જવાબ–૧
‘હિંદુસ્તાનની ગરીબાઈ' વાળો લેખ તૈયાર કરતી વખતે સરકારી રિપોર્ટોમાં સરેરાશ તારવવાની ભૂલભરી પદ્ધતિ વિષે મેં ઉલ્લેખ કર્યો હતો. તે વખતે મને દરેક પ્રાંતની સરેરાશે વિગતવાર તારવવાનો અવકાશ નહોતો. એટલે પછીથી અવકાશ મળતાં જ મેં ઈ. સ. ૧૮૭૬-૭ ના વર્ષ માટે પંજાબ પ્રાંતની પેદાશનાં બધાં કાષ્ટક વિગતવાર તૈયાર કરી, હિંદી વજીર ભકિર્વસ ઑફ હાટટન ઉપર તા.૨૪મી મે, ૧૮ ને રોજ મોકલી આપ્યાં; તથા બીજા પ્રાંતો પણ કલકત્તાની આંકડાસમિતિએ નકકી કરેલાં પત્રક મુજબ પોતપોતાના આંકડા તૈયાર કરે એવી સૂચના કરવા વિનંતી કરી.
મેં અગાઉ સૂચવ્યા મુજબ, પંજાબના જુદા જુદા જિલ્લાઓની ખેડાણ જમીન કેટલી છે, તેમાં જુદો જુદો પાક એકર દીઠ કેટલે ઊતરે છે, તેની કુલ પેદાશ કેટલી છે, તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org