________________
વચનભગ
૯૭ મેં ૧૪મી જૂને કાગળ લખીને પુછાવ્યું કે, પાર્લામેન્ટના ક્યા કાયદાની રૂએ, હિંદીઓ બ્રિટિશ પ્રજાજન હોવા છતાં તેમને યુરોપીય જાતિના ન હોવાથી લશ્કરી તાલીમમાંથી બાતલ રાખવામાં આવે છે.
તેના જવાબમાં લશ્કરી કચેરીએ રપમી જૂને મને જણાવ્યું કે, એ શરતો પાર્લમેન્ટના કઈ કાયદાથી નક્કી. થયેલી નથી, પણ તેને માટેનાં ધારાધોરણની રૂએ ઠરાવેલી છે. - તેના જવાબમાં મેં ર૬મી જૂને લખ્યું કે, એ શરત જે પાર્લમેન્ટના ઠરાવથી નક્કી ન થઈ હોય, તો કઈ સત્તાની રૂએ નકકી કરવામાં આવી છે.
૧૮મી જુલાઈના જવાબમાં લશ્કરી ખાતાએ મને જણાવ્યું કે, એ ધારાધોરણો લશ્કરી ખાતાના વજીરે પોતાને મહારાણીએ આપેલા અધિકારની રૂએ નકકી કરેલાં છે.
તેના જવાબમાં ૧૯મી જુલાઈએ તથા ૭મી ઓગસ્ટે મેં લખ્યું કે, લશકરી ખાતાનો વજીર પાર્લામેન્ટના કાયદાને ઉલંઘીને કે, મહારાણીના ઢંઢેરાને વેગળે મુકીને શી રીતે ધારાધોરણે ઘડી શકે, અને હિંદીઓને બાતલ કરી શકે ? કારણ કે ઈ. સ. ૧૮૩૩ના પાર્લમેન્ટના કાયદામાં, તેમ જ ઈ. સ. ૧૮૫૮ના મહારાણીના ઢેરામાં હિંદીઓને બ્રિટિશ પ્રજાના તમામ સમાન હક આપવામાં આવ્યા છે, તેમ જ તેમને તેમની જાતિ કે ધર્મને કારણે બ્રિટિશ સરકારની કોઈ નોકરી કે પદવીમાંથી બાતલ નહીં રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. વળી તમારા જણાવ્યા પ્રમાણે યુરોપીય જાતિનો કોઈ પણ માણસ, એટલે કે તુર્ક, રશિયન, બગેરયન કે સ્પેનિયાર્ડ બ્રિટિશ પ્રજાજન બનવામાત્રથી બ્રિટિશ લશ્કરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org