________________
હિંદુસ્તાનની ગરીબાઈ ટેલિગ્રાફ અને જંગલ ખાતામાં પણ એ જ દશા છે. હિંદીઓને ઈગ્લેંડ પરીક્ષા આપવાનું ઠરાવીને, ઉપરના હોદ્દાઓમાંથી તેમને લગભગ બાતલ રાખવામાં આવ્યા છે.
એટલે કે, જે કાયદો પસાર કરતી વખતે અંગ્રેજ રાજપુરુષોની મગરૂબી સમાતી પણ નહતી, તે કાયદો પસાર થયે ૪૦ વર્ષ વીતી જવા છતાં, હિંદીઓની દશા તો, તે કાયદો પસાર જ ન થયો હોય તેવી રહી છે.
પરિશિષ્ટ પાર્લમેન્ટ કરેલા ઠરાવોને હિંદી સરકાર કેવી રીતે ઊંચા મૂકે છે, અને પોતાનું ધાર્યું જ કરે છે, તેને ખ્યાલ તો આ પ્રકરણ વાંચનારને સારી રીતે આવી જ ગયો હશે. હવે ઈંગ્લંડમાં પોતામાં પણ હિંદીઓ પ્રત્યે કેવું મનસ્વી વર્તન રાખવામાં આવે છે, તેને નમૂનારૂપે, લશ્કરીખાતા અને નૌકાસૈન્યખાતા સાથે ભારે ચાલેલે પત્રવ્યવહાર હું નીચે આપું છું. - મેં લશ્કરી ખાતાને અરજી કરીને તા. ૫મી જૂન ૧૮૯૬ને રેજ, ઈંગ્લંડની જુદી જુદી લશ્કરી કોલેજોમાં દાખલ થવા ઈચ્છનાર માટેનાં ધારાધોરણની નકલ મંગાવી,
અને પુછાવ્યું કે, હિંદીએ બ્રિટિશ પ્રજાજનો હોવાથી તે કોલેજોમાં દાખલ થઈ શકે કે કેમ?
તેના જવાબમાં લશ્કરી કચેરીએ ૧૦મી જૂને મને જવાબ આપ્યો કે, અંગ્રેજ લશ્કરમાં દાખલ થવા ઈછનાર ઉમેદવાર બ્રિટિશ પ્રજાજન હોવા ઉપરાંત, યુરોપીય જાતિનો હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org