________________
વચનભંગ ધિક્કારપૂર્વક સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. બીજા એકે પણ તેમ જ કર્યું હતું, તેમ એ જણાવે છે. શ્રી. કનૈયાલાલે ઈ. સ. ૧૮૫રમાં પરીક્ષા પસાર કરી હોવા છતાં, તે હજુ બીજા વર્ગને એકિઝક્યુટીવ એન્જિનિયર છે; જ્યારે તેના પછી એક વર્ષ બાદ પાસ થયેલો એક ગેરે, અને તેના પછી બે વર્ષ બાદ પાસ થયેલા બે ગોરા, અને તેના પછી ત્રણ વર્ષ બાદ પાસ થયેલા ત્રણ ગેરા, પહેલા વર્ગને
એકિઝક્યુટીવ એન્જિનિયર બની ગયા છે. એવા તો અનેક દાખલા છે, જેમાં અગિયાર કે બાર વર્ષ બાદ પસાર થયેલા ગોરાઓ આગળ વધી ગયા છે, જ્યારે હિંદીઓ આસિસ્ટંટની નોકરીમાં જ સળ્યા કરે છે.
દાક્તરી ખાતામાં પણ એ જ વસ્તુસ્થિતિ છે. હિંદીઓને તે ખાતામાં દાખલ થવાની લાયકાત મેળવવા ઇંગ્લંડ જવું પડે છે. પરંતુ, તે ઉપરાંત, હિંદુસ્તાનમાં પણ યુરોપિયન અને હિંદી વિભાગ સાથેના વ્યવહારમાં કેટલો બધો ભેદભાવ રાખવામાં આવે છે, તે એ બે વિભાગોના અભ્યાસક્રમો, બઢતીના નિયમો, અને પગારોની વિગતો જેવાથી દેખાઈ આવે છે. હિંદીઓ યુરોપિયન કરતાં કેટલીય વધારે કેળવણું પામેલા હોય છે, છતાં તેમને, તેમનાથી ઊતરતી કેટીની કેળવણી પામેલા યુરોપિયનો કરતાં ઊતરતા દરજામાં મૂકવામાં આવે છે. હિંદીઓના જે વિભાગમાંથી કેટલાક આગળ ઇંગ્લંડ જઈને પરીક્ષાઓ આપી પસાર થયા છે, તે વર્ગને, યુરેપિયનોને વર્ગ કે જેમાંથી કોઈ એ તે જાતની પરીક્ષા આપવાની હિંમત પણ કરી નથી, તે વર્ગની નીચે મૂકવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org