________________
વચનભંગ
૯૩ પિતાના પૂર્વજોની કુશળતાનું અનુકરણ કરવું જોઈએ.” તે વિષે મેં “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં કાગળ લખીને ટીકા કરી કે, “હિંદીઓને તે ખાતાની નોકરીઓમાં દાખલ જ ન કરવાની બને તેટલી કાળજી રાખ્યા બાદ, બીજી બાજુ મેથી આવાં સુભાષિતો ઉચ્ચારવાં એ બહુ બેહૂદુ છે.” પછીને વર્ષો પહેલે નંબર પાસ થનાર વિદ્યાર્થીને આસિસ્ટંટ એન્જિનિયરની જગા આપવાની ખાતરી આપવામાં આવી. સરકારે વળી વધુ ઉદાર થઈને તે વર્ષે પાસ થનાર ત્રણે વિદ્યાર્થીઓને સરકારી ખાતામાં નોકરીઓ આપી. પરંતુ ઈ. સ. ૧૮૭૦માં પરીક્ષા થઈ ગયે ૬ મહિના થઈ જવા છતાં એક પણ વિદ્યાર્થીને નોકરી ન આપી. સરકારી કેળવણીખાતાએ જ એ બાબત પિકાર કર્યો કે, સરકારે એક નોકરીની આપેલી ખાતરીથી ઘણા વિદ્યાથીઓ આ તરફ ખેંચાય છે; અને આ પ્રમાણે એક વાર ખાતરી આપ્યા છતાં સરકાર કોઈને નોકરીમાં નહીં લે, તો તેથી વિદ્યાર્થીઓમાં ઘણી નાસીપાસી તેમ જ સરકારના હેતુની સચ્ચાઈ વિષે શંકા ઊભી થવા પામશે.” ઈ. સ. ૧૮૭૧–રના રિપોર્ટમાં તો પૂના એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલે જ ફરિયાદ કરી કે, “ગયે વર્ષે એક વિદ્યાર્થીને નોકરીમાં લેવાની સરકારે આપેલી ખાતરી પાછી ખેંચી લીધી છે, અને ભવિષ્યને માટે પહેલા વર્ગમાં આવનાર વિદ્યાથીને જ તે નોકરી આપવાનું જણાવ્યું છે, પરંતુ તેને માટે માર્કની સંખ્યા તેમણે સેંકડે ૬ ૬૩ ટકા ઠરાવી છે. એટલે વસ્તુતાએ સરકારે ભવિષ્ય માટે પણ એ ખાતરી બંધ કરી છે એમ જ સમજવું જોઈએ. કારણ કે, પાંચ કે છ વર્ષે પણ એટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org