________________
૯૨
હિંદુસ્તાનની ગરીબાઈ જો કે તે દરમ્યાન તે ખાતામાં મોટી સંખ્યાની જગાઓ પૂરવામાં આવી છે. હિંદી વજીરે એ બાબતની તપાસ કરવા વચન આપ્યું; પણ તે બાબતમાં તેમણે પછી શું કર્યું તે હું જાણતા નથી.
મિ. ગ્રાન્ટ કે પાર્લામેન્ટમાં ઈ. સ. ૧૮૭૧ની ત્રીજી માર્ચે ભાષણ કરતાં જણાવ્યું કે, “ જનિયરિંગ કોલેજની ફી તરીકે આપણે (ઇંગ્લંડના વિદ્યાર્થીઓ પાસેથી) મેટી રકમ માગીએ છીએ એમ કહેવામાં આવે છે, પરંતુ આપણે ત્રણ વર્ષ સુધી દર વર્ષે ૧૫૦ પાઉંડ માગીએ છીએ અને તેના બદલામાં કોલેજમાંથી પસાર થનારને ( હિંદુસ્તાનમાં ) પહેલે જ વર્ષે ૪ર૦ પાઉંડનો પગાર ખાતરીથી આપીએ છીએ. ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે, આપણે દેશીઓને તે કોલેજમાં દાખલ કરતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે, અંગ્રેજોને તે તે કોલેજમાં દાખલ થવા માટે પૈસા આપવા પડે છે; જ્યારે હિંદીઓને તો તેમાં દાખલ થવા માટે આપણે પૈસા આપીએ છીએ, અને છતાં તે શિષ્યવૃત્તિઓને તેઓ ઉપયોગ કરતા નથી.”
પરંતુ સાચી હકીકત શું એ જ હતી ? અંગ્રેજ યુવાનોને તો કોલેજમાંથી પસાર થયા બાદ નોકરી ખાતરીથી મળતી હતી; અને પહેલે વર્ષે જ કર૦ પાઉંડને પગાર મળતો હતો;
જ્યારે હિંદીઓની બાબતમાં શું થતું હતું, તે તો મેં ઉપર ટાંકેલા પાંચ દાખલાઓમાં બતાવ્યું છે. ઈ. સ. ૧૮૬૯માં સર સૈમુર ફીજરે છે ઍન્જિનિયરિંગ કોલેજના પદવીદાન સમારંભ વખતે હિંદી વિદ્યાર્થીઓને ઉદ્દેશીને બોલતાં જણાવ્યું કે, “હિંદીઓએ તે આ ઍન્જિનિયરિંગ કળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org