________________
રેતીના ટાપુઓ ઉપર શું બન્યું “હા, મારું સર્વસ્વ જ તેમાં છે. પરંતુ જો તમે મને ન ચાહતા હો, તો મારે એ ઝવેરાતની કંઈ જરૂર નથી; અને હું તમને ચાહું છું તેટલી તમે મને ચાહતા હશો, તો પણ મને એ કશાની જરૂર નથી.”
“આ સદ્ ભાગ્ય તો હું કલ્પી શકું તેથી પણ ઘણું મોટું છે. હું એ દાયજો સ્વીકારું છું.”
“અર્થાત્ તમારી પત્ની તરીકે મને પણ.” –એમ કહી માર્કીએ તેના હાથમાં પડતું નાંખ્યું.
રેતીના ટાપુઓ ઉપર શું બન્યું કેલે જતાં રસ્તામાં બકિંગહામ અને દ વાર્દ બહુ મિત્રતાભરી રીતે વર્યા તથા બંને વચ્ચે નજીક આવી રહેલી આખરી લડાઈને જાણે ભૂલી જ ગયા. છઠ્ઠા દિવસે તેઓ કેલે પહોંચ્યા. ડયૂકના નોકરોએ અગાઉથી પહોંચી જઈ બધી તૈયારી કરી રાખી હતી અને લૂકના ‘માટ'-જહાજ સુધી પહોંચવા હોડી તૈયાર ખડી હતી.
ઘોડા વગેરે જહાજ ઉપર ચડાવાઈ રહ્યા, એટલે ડયૂકે જહાજના કપ્તાનને એટલું જ જણાવ્યું, “દરિયો શાંત છે અને સૂર્યનો પ્રકાશ સારો હોવાથી સૂર્યાસ્ત જોવાની મજા આવશે. એટલે, સંધ્યાકાળ સુધી કિનારા ઉપર જ ફરવાની મજા લઈ, રાત પડો જ હું જહાજ ઉપર આવીશ.”
ડભૂકના માણસોને ધક્કા આગળ એક હોડી તૈયાર રાખવા સૂચના અપાઈ હતી, જેથી જ્યારે મરજી થાય ત્યારે ડયૂક જહાજ ઉપર પહોંચી જઈ શકે.
ધીમે ધીમે ભરતીનાં પાણી આગળ આવવા લાગ્યાં એટલે બર્કિહામે કિનારાથી થોડે દૂર થયેલા એક રેતીના ટાપુ તરફ દ વાદને લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org