________________
બરતોદિયર નં. ૨
૫૧ પણ મહામાત્યજીને પોતાની ભૂલ પછી સમજાઈ હશે, એટલે તેમણે પાછલું મીંડું છેકી નાખ્યું અને આગળ એકડો ઉમેરી લીધો. પણ તમે પેલા સરખાપણાની બાબતમાં કેમ કશું કહેતા નથી?”
“ભલા મેં૦ દ બેઇઝમાં, હું નથી બોલતો તેનું એક જ કારણ છે, અને તે એ કે, એવું કશું સરખાપણું છે જ નહિ.”
નથી? કેવી વાત?”
એ સરખાપણું કેવળ તમારી કલ્પનામાં જ છે. અને હોય તોપણ એ વાત તમારે મોંએ લાવવાની જરૂર નથી. કારણ કે રાજા લૂઈ-૧૪ જો જાણશે કે, તેમના પ્રજાજનમાંના કોઈનું માં તેમને મળતું આવે છે એવી વાત તમે ફેલાવો છો, તો તે તમારી ઉપર ખૂબ ગુસ્સે થઈ જશે.”
“ખરી વાત, ખરી વાત; પણ એ વાત મેં તમારા સિવાય કોઈને કરી જ નથી; અને તમે તો સમજદાર માણસ છો, એટલે વાંધો નહિ. પણ હજ તમારે પેલી મહામાત્યજીની હસ્તાક્ષરવાળી નોંધ જોવી છે?”
ચોક્કસ.”
બેઇઝમૉએ પોતાના કમરામાં પહોંચી, એક કબાટમાંથી એક ખાનગી રજિસ્ટર કાઢીને તેનું નાનું તાળું ખોલી નાંખ્યું. એરેમીસે જોયું કે, એ તાળાની નાની ચાવી, બેઇઝમૉ જે ઝૂમખું પોતાની પાસે જ રાખતો, તેમાં હતી.
બેઇઝમૉએ હવે તેમાંથી “મ' અક્ષર કાઢી પેલી નોંધ બતાવી. તેમાં આ પ્રમાણે લખાણ હતું
કદી કોઈ પુસ્તક ન આપવું. કપડાં સારામાં સારી જાતનાં મેળવીને આપવાં; કસરત ન કરવા દેવી-ન આપવી; એક જ જેલર તેની પાસે જાય આવે; કોઈની સાથે કશી વાતચીત ન કરવા દેવી. વાજિંત્રો માગે તે આપવાં. બીજી બધી જાતની સ્વતંત્રતા અને સુખસગવડ તેને મળે. ૧૫ ફ઼ાંક રોજનું ભથ્થુ ગણવું. એ પંદર ઓછા પડે, તો મેં દ બેઇઝમાં વધુ માગી શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org