________________
પ૦
પ્રેમ-પંક ચોક્કસ.” બેઇઝમોએ ઍરેમીસને પૂછયું, “હવે આપણે જઈશું?”
“હા, હા, જ્યારે તમારી મરજી થાય ત્યારે.” ઍમીસે બેફિકરાઈનો ભાવ ધારણ કરીને જવાબ આપ્યો.
બંને જણા ત્યાંથી નીકળી નીચે ઊતરતા હતા, ત્યારે બેઇઝમૉએ ઍરેમીસને પૂછયું, “આ બધું તમને શું લાગે છે?”
“એટલું જ કે, પેલા ઘરમાં ખૂન કરવામાં આવ્યાં છે.” “આ કેદીના ઘરમાં?”
“હા, પેલી આયા અને હજૂરિયાને ઝેર દઈને એકીસાથે મારી નાંખવામાં આવ્યાં છે.”
“શું આ છોકરડાએ એમનું ખૂન કર્યું હશે?”
“ના, ના, એ છોકરાએ એ ખૂન થતું જોયું હશે, એટલે ખૂનીનું નામ બહાર ન પાડી દે તે માટે તેને અહીં જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. તેને ચોપડીઓ આપવામાં આવે છે?”
“ના, ના, ચોપડીઓ આપવાની તો સખત મનાઈ છે. મહામાત્યજી માઝારેએ સ્વહસ્તે એ લખી જણાવ્યું છે.”
“એ લખાણ તમારી પાસે હજુ હશે ખરું?” “હા, હા, તમારે જવું છે?”
“મને મહાપુરુષોના હસ્તાક્ષર અને ખાસ કરીને તેમની સહી જોવાનો બહુ શોખ છે.”
“તો તો, આ પ્રમાણભૂત હસ્તાક્ષર છે; માત્ર એક જ જગાએ સહેજ છેકછાક છે.”
“છેકછાક? શાની?”
“એક આંકડાની જ; પહેલાં એવું લખાણ હતું કે, રોજના ૫૦ ફ્રાંકના ખર્ચથી તેમને જેલમાં રાખવા.”
“એ તો રાજકુટુંબના જ માણસનો દર થયો, ખરું ને?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org