________________
બરતોદિયેર નં. ૨ બંને એક સાથે જ?” “હા.”
તમને કેવી રીતે ઉપાડી લાવ્યા હતા?”
“એક માણસ મારી પાસે આવ્યો; તેણે મને ગાડીમાં બેસી જવા કહ્યું. હું બેઠો એટલે તેણે બારણે તાળું મારી દીધું. એમ મને અહીં લઈ આવ્યા.”
“તમે તે માણસને ફરી દેખો તો ઓળખી શકો?” “તેણે બુરખો પહેર્યો હતો.”
બેઇઝમૉએ ઍરેમીસને પૂછયું, “કેવી નવાઈની વાત છે? પણ, આ બધું તેણે તમને જ કહ્યું. મને તો કશી વાતની ખબર જ ન હતી.”
“તમે પૂછયું નહિ હોય, એટલે શી રીતે કહે?” “ખરી વાત; મને એવું બધું જાણવાની ઇંતેજારી જ હોતી નથી.”
ઍમીસે હવે કેદી તરફ ફરીને પૂછયું, “તમે અહીં આવ્યા તે પહેલાં કોઈ અજાણી સ્ત્રી કે પુરુષ તમને મળવા આવતાં, એવું તમને યાદ છે?”
હા! એક સ્ત્રી ત્રણ વખત આવી હતી. દરેક વખતે તે બંધ ઘોડાગાડીમાં આવતી; બુરખાથી મેં બરાબર ઢાંકીને. જ્યારે તે મકાનમાં આવતી અને હું તથા તે એકલાં પડતાં, ત્યારે તે બુરખો ઊંચો કરતી.”
તે તમને શું કહેતી?”
પેલો શોકઘેરું હસ્યો અને બોલ્યો, “તમારી પેઠે તે પણ પૂછતી કે, હું ખુશી આનંદમાં તો છું ને, તથા મને કંટાળો તો નથી આવતો ને?”
અને તે તમારી પાસે આવે તથા જાય ત્યારે શું કરતી?” “મને તેના હાથમાં લઈ, છાતીએ દબાવતી અને ચુંબન કરતી.” “તમને તેની આકૃતિ બરાબર યાદ છે?” “બરાબર !”
“તમે અકસ્માત્ તેની ભેગા થઈ જાઓ તો તમે તેને બરાબર ઓળખી કાઢો ખરા?”
-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org