________________
બરતોદિયેર નં. ૨
૪૭ બેઇઝમૉએ તે જોઈ કેદીને કહ્યું, “આ સહસ્થ શિલ્પી છે, અને તે તમારા કમરાની ચીમની તપાસવા આવ્યા છે; ધૂણીબૂણી તો નથી થતી ને?”
“જરા પણ નહિ, મેંશ્યોર.”
બેઇઝમોંએ હવે એરેમીસ તરફ ફરીને કહ્યું, “તમે કહેતા હતા કે, જેલમાં માણસ કદી સુખી હોઈ શકે જ નહિ; પણ જુઓ, અહીં એક માણસ છે, જે જરાય દુ:ખી નથી. કેમ તમને અહીં કશું દુ:ખ છે ખરું?” બેઇઝમૉએ પેલા કેદી તરફ ફરીને પૂછયું.
કશું જ નથી.” “તમને કોઈ વખત કંટાળો નથી આવતો?” ઑરેમીસે પૂછ્યું. “કદી નહિ.”
બેઇઝમૉ હસી પડ્યો. ઍમીસે બેઇઝમોને પૂછયું, “પણ મને હજુ તેમને વધુ પ્રશ્નો પૂછવાની તમારી રજા છે?”
જેટલા પૂછવા હોય તેટલા પૂછોને!”
તો તમે જ એમને પૂછો કે, તેમને અહીં શાથી લાવવામાં આવ્યા છે, તે એ જાણે છે?”
બેઇઝડૉએ એ પ્રમાણે પેલાને પૂછયું, એટલે તેણે જવાબ આપ્યો, “ના, મને ખબર નથી.”
તમને શા માટે કેદ પૂરવામાં આવ્યા છે, તે તમે ન જાણતા હો, તો તમને ગુસ્સો ન ચડે વારુ?” ઍરેમીસે જાણે ચર્ચાના ભાવમાં આવી જઈને પૂછતો હોય એમ પૂછ્યું.
“શરૂઆતના દિવસોમાં મને તેમ થતું હતું ખરું.” “તો હવે કેમ નથી થતું?”
“કારણ કે, મેં વિચાર કર્યો અને મને લાગ્યું કે, મેં કશો ગુનો કર્યો નથી, એટલે પરમાત્મા કદી મને સજા ન કરે.”
“પણ કેદમાં પુરાવું, એ સજા ન કહેવાય?” “હા, સાત વર્ષ પહેલાં જેવું હતું તેવું તો અહીં નથી જ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org