________________
૪૩
બેઇઝના હિસાબો “પણ એ બધી મના સરખાપણાની વાત, મને લાગે છે કે, તમારી કલ્પના માત્ર હશે તેને કેદ પકડવાનું ખરું કારણ કદાચ બીજે જ હોય.”
“ના, ના, એવું નથી; તમે તો –ને જોયા છે; તમે હવે આ કેદીને જુઓ, તો તમે પણ એ સરખાપણાથી ચોંકી ઊઠો.”
“લે, હું એ કેદીને જોઉં? ના રે ના; મને તો તમારાં એ ટાવર તરફ જતાં કંપારી છૂટે– જાણે મને પોતાને જ પૂરવા લઈ જતા હોય એવું લાગે!”
“જાઓ, જાઓ, મહેરબાન; એ કેદીને જોવા તો ભલભલાએ કેટલા પ્રયત્ન કર્યા છે–- મને કેટકેટલી મોટી રકમો આપવા કહ્યું છે. પણ તમે તો મારા મિત્ર છો, અને ભલા છો; બોલો, તમારો વિચાર હોય તો હું તમને ખાતરી કરાવું. આવી તક ફરી કદી નહિ મળે!”
“ભલે, પણ સાથે મને પેલા કવિને પણ બતાવવો પડશે! મને તો એ કવિમાં જ ખરો રસ છે. પણ મને નવાઈ લાગે છે કે, પેલા કેદીને પંદર ફૂાંક શાથી અને આ ભલા કવિને ત્રણ ફાંક શાથી?”
કારણ કે આ કવિ તો કોઈ દિવસ પણ છૂટશે; પણ આ માણસ તો કદી નહિ છૂટે.”
“કેમ?”
“કારણ કે, તેના મો સરખાપણું તે પોતે કદી છોડવાનો જ નહિ, તેથી! સિવાય કે બળિયા-શીતળાથી તેનું માં છેક જ બગડી જાય! પણ આ કેદખાનામાં સ્વચ્છતા એટલી જાળવવામાં આવે છે કે, બળિયા-શીતળા તેને અહીં કદી થાય તેવો સંભવ જ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org