________________
૬
ખરતાદિયર નં. ૨
૧
બેઇઝમૉએ હવે પહેરાવાળાને તથા જેલરને સાથે લીધા. તેમને એમ જણાવવામાં આવ્યું કે, આ મહાશય રાજાજીના શિલ્પી છે, અને તેમને અહીંનાં ટાવર બતાવવા લઈ જવાના છે.
ઍરેમીસના આગ્રહથી તેઓ પ્રથમ સેલદોંની કોટડી તરફ ગયા. તે અઢારેક વરસનો જુવાનિયો હતો. તે ગવર્નરને જોઈ પોકાર કરી ઊઠયો, “મારી મા, મારી મા!”
ગવર્નરે તેને કહ્યું, “જો આજે હું તારે માટે સારું ખાવાનું અને પીવાનું લાવ્યો છું.
,,
“માશ્યોર, મને એક વર્ષ અંધારી કોટડીમાં પૂરવો હોય તો પૂરો, કે ખાવામાં માત્ર રોટી ને પાણી આપવું હોય તો આપો, પણ મારી માને એક વર્ષ બાદ હું છૂટો થઈને મળું એવું બદલામાં કૃપા કરીને કરો.” “પણ, મને ખબર છે તે પ્રમાણે તારી મા બહુ કંગાળ સ્થિતિમાં રહે છે, અને તને અહીંના જેવું ખાવાપીવાનું સુખ ત્યાં નહોતું.”
66
પણ જો તે કંગાળ સ્થિતિમાં રહે છે એવું તમે જાણો છો, તો પછી તેના એકના એક આધાર જેવા મને તેની ભેગો જલદી કરવો જોઈએ, મોંશ્યોર.’
""
“ પણ તે કોઈ જોડકણું બનાવ્યું હતું—
""
મહાશય, એ મેં કશા બદઈરાદા વિના જ લખ્યું હતું, અને તે બદલ તમારે મારો તે હાથ કાપી નાંખવો હોય તો કાપી નાંખો, પણ
Jain Education International
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org