________________
બેઈઝમાઁના હિસાબો
૩૯ “અને તેમણે તમારી સ્થિતિની રજેરજ માહિતી પૂછી હતી ખરું? તો મને પણ કહોને, તમારી પાસે અત્યારે કેટલા કેદીઓ છે?”
“સાઠ.” “તો તો ઠીક સંખ્યા છે.” “નામદાર, પહેલાં તો કોઈ કોઈ વખત બસો બસો કેદીઓ રહેતા.” “તો પણ, સાઠેક જણ હોય ત્યાં સુધી તમારે કશી ખોટ ન આવે.”
“બીજા કોઈને ન આવે; બીજો કોઈ તો અઢીએક લાખ ફ્રાંક એટલામાંથી ઉપરાંતમાં કૂદી કાઢે ! પણ મારો સ્વભાવ માયાળુ છે, એટલે હું તે બધાને બહુ સારી રીતે ખવરાવું પીવરાવું છું, તેથી મારી પાસે વધારાનું કશું બચતું નથી. જુઓને કોઈ રાવંશી કેદી હોય તો રોજના પચાસ ફાંક મળે; પણ કમનસીબે અત્યારે કોઈ રાજવંશી કેદી નથી. કોઈ માર્શલ કેદી હોય તો રોજના છત્રીસ ફૂાંક મળે; પણ તેય નથી. લેફટનન્ટ-જનરલ અને બ્રિગેડિયર કેદીના છવીસ ફૂાંક મળે; સદ્ભાગે મારે ત્યાં તેવા બે કેદી છે. પછી પાર્લમેન્ટના સભ્યોના પંદર ફ્રાંક મળે તેવા મારી પાસે જ છે. સામાન્ય જજ અને ધર્મગુરુ માટે દસ ફ્રાંક રોજના મળે તેવા સાત છે. પણ હું તો તેમને પેલા પંદર ફ્રાંક વાળાઓની જેમ જ રાખું છે. અને કેદખાનામાં માણસને કંઈ કામ ન હોય એટલે ભૂખ વધુ લાગે. એટલે આ દસ ફ્રાંકવાળાને ખવરાવવામાં જ સાડા સાત ફૂાંક વપરાઈ જાય છે.”
અને જો તમે પેલા પંદર ફ્રાંકવાળાઓને આ દસ ફાંકવાળાઓની જેમ જરાખતા હો, તો પંદર ફૂાંકવાળાઓને પણ સાડાસાત ફ્રાંકની કિંમતનું જ ખવરાવતા હશો, એટલે તે કેદીઓ પાસેથી તમને જણ દીઠ રોજના સાડા સાત ફૂાંક બચે ખરું ને?”
બેઇઝૉ બિચારો આમ બોલવામાં બંધાઈ ગયો એટલે વિશેષ કંઈ કહી શક્યો નહિ. તેણે એટલું જ કહીને સંતોષ માન્યો કે, “બીજાની ખોટ મારે કયાંકથી ને કયાંકથી ભાગવી જ રહી ને?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org