________________
૨૪
પ્રેમ-પંક છે. તેમના ઉપર જઈ આપણે સ્વંદ્વયુદ્ધ ખેલી લઈએ, તો ફ્રાંસના રાજાની ભૂમિના કાયદાઓનો અનાદર કર્યો પણ નહીં કહેવાય. કેમ ખરું ને? કારણ કે, એ ઢગલા દિવસના છ કલાક ફ્રાંસની ભૂમિ સાથે જોડાયેલા રહે છે, પણ ભરતી વખતે બીજા છ કલાક સુધી તે મહાસાગરની અને તેના માલિક ઈશ્વરની હકૂમતમાં આવી જાય છે!”
“હું ઘણી ખુશીથી તમારો પ્રસ્તાવ સ્વીકારું છું,” દ વાદે કહ્યું.
“અને તમે જો મને મારી નાંખવામાં સફળ થાઓ, તો તમે મારી ઉત્તમોત્તમ સેવા બજાવી, એમ હું ગણીશ.”
“તમારી ઇચ્છા પૂરી કરવા મારાથી બનતું હું કરી છૂટીશ.” દ વાર્થે જણાવ્યું.
બાસ્તિલને ગવર્નર બધા ચાલ્યા ગયા એટલે ઍવોસ અને દાતેં નાં પણ દાદરે થઈ નીચે ઊતર્યા. ઍયોસે દાર્લેનને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે, રાઓલને મોડા યા વહેલા દ વાર્દ સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતરવું પડશે. દ વાર્દ જેટલો બહાદુર છે, તેટલો જ હલકટ છે.”
હા મોટાભાઈ; પણ રાઓલ શાંત પ્રકૃતિનો છે, એટલે જ્યાં સુધી તેને કોઈ ખામુખા સતાવશે નહિ, ત્યાં સુધી તે લડાઈમાં નહિ ઊતરે. પોતાનો મુદ્દો સાફ હોવો, અને જાતે શાંત હોવું, એ વસ્તુ આવાં યુદ્ધોમાં ઓછી નિર્ણાયક નીવડતી નથી. પરંતુ, મોટાભાઈ, તમે કંઈ ચિંતામાં પડી ગયા લાગો છો, એમ કેમ?”
“વાત એમ છે કે, કાલે જ રાઓલ રાજાજીને મળવાનો છે. રાજાજી તેના લગ્નની બાબતમાં ચુકાદો સંભળાવવાના છે. એનાથી રાઓલના મિજાજનું ઠેકાણું નહિ રહે, એમ હું માનું છું. તે વખતે જો દ વાર્દનો ભેટો તેને થશે, તો પછી એ એટલો શાંત નહિ રહ્યો હોય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org