________________
દાતેને દ વાઈનો હિસાબ લે છે “હું કબૂલ રાખું છું, પરંતુ આવા જોરજુલમ કરતાં પહેલાંના જમાનાનો તરવારનો ઘા સારો, એમ કહ્યા વિના મને ચાલતું નથી.”
ના, ના, મેંશ્યોર,” બકિંગહામ બોલી ઊઠ્યો; “તરવારની ઘા કરાય કે થાય, તેથી તે કરનાર કે ખાનારની સચ્ચાઈ-જૂઠાઈ શી રીતે નક્કી થઈ શકે? એનાથી તો એટલું જ નક્કી થઈ શકે છે, એ ઘા કરનારના હાથ કુશળ છે – જેમ એ હાથ બીજાં ઘણાંય સારાં-ખોટાં કામો કરવાના કસબી હોય!”
સૌ હવે આ બધું પ્રકરણ પતી ગયું એટલે વિદાય થવા તત્પર થઈ ગયા. દાતેએ સૌનો ત્યાં આવવાની તસ્દી લેવા બદલ આભાર માન્યો.
સૌએ દાઓંનાં સાથે હાથ મિલાવી જવા માંડ્યું પણ કોઈએ દ વાર્દ સાથે હાથ મિલાવ્યો નહીં. તે ગુસ્સાથી સળગી જવા લાગ્યો અને ગણગણ્યો, “અહા, જેના ઉપર મારી દાઝ કાઢું, એવું કોઈ મને નહીં મળે શું?”
તમે મારી ઉપર તમારી દાઝ કાઢી શકશો, મશ્યોર, કારણ કે હું અહીં હાજર છું.” તેના કાનમાં એક ધમકીભર્યો અવાજ આવ્યો.
દ વાર્થે પાછા ફરીને જોયું તો ડયૂક ઑફ બકિંગહામ ત્યાં ઊભો હતો. “તમે, મોંશ્યોર?” દ વાર્દ બોલી ઊઠ્યો.
હા, હું! હું કંઈ ફ્રાંસના રાજાનો પ્રજાજન નથી; તેમ જ હું હવે આ ભૂમિ ઉપર રહેવાનો પણ નથી, કારણ કે હું ઇંગ્લેંડ પાછો જાઉં છું. મારા હૃદયમાં પણ હતાશા અને ગુસ્સાનો એટલો બધો ભાર એકઠો થયો છે કે, તમારી પેઠે મારે પણ મારી દાઝ કાઢવા કોઈ માણસ જોઈએ છે. મેં દાનના સિદ્ધાંતોની હું ભારે કદર કરું છું, પરંતુ, તમારી પ્રત્યે તે સિદ્ધાંતો લાગુ કરવા હું બંધાયેલો નથી. હું અંગ્રેજ છું; એટલે ઊંચો પાસેથી ન મેળવી શકાય તે મારી પાસેથી તમે જરૂર મેળવી શકશો. ચોત્રીસ કલાકમાં તો હું કૅલે બંદરે પહોંચી ગયો હોઈશ. તમે મારી સાથે જ આવી શકો છો. ત્યાંને કિનારે ભરતી ચડવા લાગે ત્યારે પાણી ફરી વળવાથી રેતીના અમુક ઢગલા મુખ્ય ભૂમિથી છૂટા પડી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org