________________
છુટકારો!
૩૪૧ “તેને દરબારગઢમાંથી ગઈ કાલે કાઢી મૂકવામાં આવી છે.”
રાજા એકદમ ચોંકયો. પરદેશી પ્રતિનિધિઓ, પ્રધાનો, મંત્રીઓ, દરબારીઓ સૌ આસપાસ બેઠેલા હતા અને તેણે સીધું દાનને પૂછયું, “તમે કહો છો તે બધું સાચું છે?”
“હા સરકાર.” “તો દરબારમાંથી તેને કોણે કાઢી મૂકી?”
દાતે નોંએ જવાબમાં માત્ર ખભો જ ઊંચો કર્યો. એ તપાસવાનું કામ મારું નથી – એવો તે ચેષ્ટાનો અર્થ થતો હતો.
રાજા તરત જ બેઠક ઉપરથી ફલંગ મારીને ઊભો થઈ ગયો. રાણીમાતાએ બધું સાંભળ્યું હતું, તે પણ ઊભી થઈ ગઈ. મૅડમ ગુસ્સાથી અને ડરની મારી કંપી ઊઠી. તે રાણી-માતાની પેઠે ઊભી થવા ગઈ પણ પાછી પોતાની બેઠક ઉપર ફસડાઈ પડી.
રાજાએ તરત જ દરબારને બરખાસ્ત થયેલો જાહેર કર્યો. સૌ ચેકી ઊડ્યા. પરદેશી પ્રતિનિધિઓને તેણે કહ્યું, ‘હું મારો જવાબ – અથવા મારી મરજી સ્પેન અને હૉલેન્ડને સીધી જણાવીશ.”
રાણી માતા એકદમ રાજા પાસે દોડી ગઈ. “સાંસતા થાઓ, દીકરા, સાંસતા થાઓ; તમે અત્યારે જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા લાગો છો.”
મેડમ, હું મારી જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું, તો તે જેમણે મારા ઉપર આ કારી ઘા કર્યો છે તેમની સાન ઠેકાણે લાવવા માટે જ, એટલું યાદ રાખજો.” આટલું કહી, દા નેને સાથે થવાનું કહી, તે તરત બહાર દોડ્યો.
માનિકો અને માલિકોને પણ રાજજીની સાથે થયા; તબેલાનો એક માણસ પણ પાછળ દોડયો.
મઠની બહારના આવકાર-ગૃહમાં લા વાલિયેર એક પથ્થરની ઈશુમૂર્તિવાળા #સ આગળ જમીન ઉપર એકલી પડી હતી. નીચેની ફરસ જેવી જ તે પણ ઠંડી પડી ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org