________________
૩૪૦
પ્રેમ-પંક થોડી વારમાં રાજા બગીચામાં બધે ફરી વળ્યો. તેનું મોં હવે ફીકું પડી ગયું હતું અને કોઈ ગૂઢ ચિતા તેના હૃદયને કોરી ખાવા લાગી હતી.
આઠ વાગી ગયા; રાજાજીનો નાસ્તો ટેબલ ઉપર હાજર કરવામાં આવ્યો. રાજા બેઠો ખરો, પણ ખાવા તરફ તેનું લક્ષ જ ન હતું. પણ ત્યાર પછી પાછી કેટલીક અગત્યની લશ્કરી મુલાકાતો પતવવાની આવી અને છેવટ તો ડચ પ્રતિનિધિઓને ભર દરબારમાં જ મળવાનું થયું.
રાજા એ બધી મુલાકાતો પતવતો હતો, પણ તેના મોં ઉપર લા વાલિયર ન મળ્યાની ચિંતા જેવી ને તેવી જ હતી. તેણે ઘણાઓને માત્ર તેની ભાળ મેળવી લાવવા જ મોકલ્યા હતા, અને તે સુખરૂપ કયાંક બેઠી છે કે ફરે છે, એટલા જ સમાચાર તેને જાણવા હતા. પણ કોઈ આવીને તેને એટલા સમાચાર પણ આપી ગયું નહિ. રાજા ખૂબ જ ઊંચોનીચો થવા લાગ્યો.
અચાનક દોંએ પાસે ઊભેલા મેં તેગ્નોને ખભે હાથ મૂક્યો. મેં તેગ્નોએ સહેજે જ પૂછયું, “કેમ શા સમાચાર?” “કોનાલા વાલિયેરના?”દાનોએ રાજા સાંભળે તેમ સામું પૂછ્યું. રાજા તરત ચક્યો. તેણે કાન સરવા કર્યા.
“લા વાલિયેરને શું થયું છે? તે આસપાસ આટલામાં કયાંય જણાતી નથી. અમે ક્યારના તેની ખોળ ચલાવી રહ્યા છીએ. દરબારગઢમાંથી એક માણસ જેવા માણસની ભાળ ન મળે, એ નવાઈની વાત છે.” મેં તેગ્નોએ દાઓં નોં આગળ રાવ ખાધી.
તમને શી રીતે દરબાર-ગઢમાં તેની ભાળ મળવાની હતી? તે તો શેલોત મુકામે કાર્મેલિત-મઠમાં સાધ્વી બનવા પહોંચી ગઈ છે.”
“હું? શું કહો છો? તમને કોણે કહ્યું?”
“તેણે પોતે જ હું જ આખે રસ્તે કાર્મેલિત-મઠ સુધી કાલે પાછલી રાતે તેની સાથે ગયો હતો.”
પણ તે સાધ્વી થવા જાય શા માટે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org