________________
૫૦
છુટકારો!
૧
રાતના બાર વાગ્યા સુધી ડચ પ્રતિનિધિઓ સાથે રાજાજીની ભારે ધમાલભરી મુલાકાત ચાલી. ડચોએ રાજાનું અપમાન થાય એવા ચિત્રવાળા ચંદ્રકો બહાર પાડયા હતા. અલબત્ત, સૂર્ય ઉપર પસાર થતી વાદળી જ બતાવવામાં આવી હતી. પણ ટ્રાંસના રાજાના પ્રતાપી સૂર્ય ઉપર વળી વાદળી શાની?
મંત્રીઓ, લશ્કરીઓ વગેરે સૌની ભારે ભારે દલીલો થઈ. પછી ડચ પ્રતિનિધિઓને શો જવાબ આપવો એ બાબતની ખાનગી મંત્રણાઓ મોડી રાત સુધી ચાલી.
સવારના રાજા જ્યારે ઊઠયો, ત્યારે તેને તરત લા વાલિયેર યાદ આવી. તેણે પહેરા ઉપર ઊભેલા દાતે નાંને કહ્યું, સેતેગ્નોને બોલાવો.
સેતેગ્નો આવતાં જ રાજા તેને લઈ સીધો લા વાલિયરના કમરા તરફ ઊપડયો. દા નાં બારીએથી ચુપચુપ જોઈ રહ્યો. તે સમજી ગયો કે રાજા કયાં શા માટે જાય છે.
લા વાલિયેરના કમરામાં પથારી જેમની તેમ પડી હતી અને કોઈ જ તેના ઉપર રાત દરમ્યાન સૂતું હોય, એમ લાગતું ન હતું.
તરત માંતાલેને બોલાવવામાં આવી. તે લા વાલિયર વિષે કશી માહિતી ન આપી શકી. પણ તેણે એટલી કલ્પના દોડાવી કે, તેને વહેલી સવારે શાંતિમાં બહાર બગીચામાં ફરવાની ટેવ છે, એટલે કદાચ તે બહાર ફરતી પણ હોય.
Jain Education International
૩૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org