________________
૩૩૮
પ્રેમ-પંક હા, મેંશ્યોર; મેં હવે ભગવાનની સેવામાં જ જીવન અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. રાજાજીને હું અહીં આવી છું અને શા માટે આવી છે તેની કશી ખબર નથી, અને તેમને ખબર પડે એમ હું ઇરછતી પણ નથી.”
“પરંતુ, રાજદરબારનું માણસ રાજાજીને જાણ કર્યા વિના અને તેમની પરવાનગી વિના આમ નીકળી શકે જ નહિ, એ જાણો છો ને?”
હવે હું રાજદરબારની નોકરીમાં નથી, એ તમે જાણી રાખો, મોંશ્યોર. અને મારી એક છેવટની વિનંતી તમે સ્વીકારશો, એવી મારી ઇચ્છા છે.”
કઈ ?''
“તમે સોગંદપૂર્વક કહો કે, તમે મને અહીં જોઈ હતી કે હું સાધ્વી થઈ છું એ વાત કદી તમે રાજાજીને નહીં કરો.”
“હું એવા સોગંદ ખાવાનો નથી.” “કેમ?”
“કારણ કે હું રાજાજીને ઓળખું છું, નહિ નહિ, આખી માનવજાતને ઓળખું છું-હું એવા સોગંદ હરગિજ નહીં ખાઉં.”
“તો સાંભળી લો, આજથી માંડીને હું મરતાં લગી તમારા મસ્તક ઉપર પરમાત્માના આશીર્વાદ ઊતરે એવી પ્રાર્થના કરવાની હતી; તે હવેથી તમારા માથા ઉપર ભયંકરમાં ભયંકર શાપ ઊતરે તેવી જ પ્રાર્થના કરીશ; કારણ કે, તમે મને અત્યારે જગતમાં કોઈએ નહીં દુ:ખી કરી હોય તેટલી દુ:ખી કરી મૂકી છે.”
દાઓંન લા વાલિયરના શબ્દો પાછળનો જુસ્સો જોઈ ચોંકી ઊઠયો. તે બોલ્યો, “ભલે, હું રાજાજીને કશું નહિ કહું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org