________________
“ઓહો, મેં
એમ કહી તેણે તરત તેનો હાથ પકડી લીધો.
66
જરૂર, તમને હું પૂરતું રક્ષણ આપીશ; પણ ભગવાનને ખાતર કહો, તમે આ તરફ એકલાં અત્યારને વખતે કયાંથી?” “મારું શૅલોત જવું છે.”
“પણ શૅલોત જવું હોય તો તમે તેના તરફ પીઠ રાખીને જ ચાલો
છો!”
જાકારો !
૩૩૭
દાતેનાં! હું જ છું; કૃપા કરીને મને બચાવો!”
""
“તો મને સાચી દિશામાં મૂકી આપો.'
""
જરૂર.’
“પરંતુ મારી ખરી જરૂરની ઘડીએ તમે આ તરફ કયાંથી આવ્યા, એ તો મને કહો.”
“મારું મકાન આ તરફ છે; નોત્ર-દામની નિશાનીવાળી વીશી મારા મકાનમાં જ ભાડે આપેલી છે. હું ભાડું ઉઘરાવવા કાલે રાતે અહીં આવ્યો હતો, તે પછી અહીં જ સૂઈ ગયો હતો. હવે વહેલી સવારે રાજમહેલમાં મારી ડયૂટી સંભાળી લેવા હું જરા વહેલો અહીંથી નીકળ્યો હતો. પણ, શૈલોત અહીંથી ત્રણ-ચાર માઈલ દૂર છે, એ તમને ખબર હોય એમ લાગતું નથી ! ”
‘ભલે રહ્યું; હું તેટલું ચાલી નાંખીશ.”
દાતેનાં વધુ બોલ્યા વિના તેની સાથે સાથે ચાલવા લાગ્યો. પછી શૈલોતની ઊંચી જગા દેખાવા લાગી ત્યારે છેવટે તેણે પૂછ્યું, “તમારે કયા મકાનમાં જવું છે?"
“ કાર્મેલિત-મઠમાં. ”
‘કાર્મેલિત-મઠમાં ?” દાતેનાંનું માં નવાઈથી પહોળું થઈ ગયું. “ ભગવાને તમને માર્ગમાં મને ટેકો આપવા જ મોકલ્યા હતા; તમારો આભાર માનું છું.”
“શું તમે સાધ્વી બનવા જાઓ છો?”
પ્રે.-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org