________________
૩૩૬
પ્રેમ-પંક
પણ- પણ, ભલે પૃથ્વી ઉપર તેનું કોઈ ન રહ્યું, પરંતુ સ્વર્ગમાં પરમ પિતા તો તેના હજુ બાકી છે જ! લુઝાના વિચારે હવે પરમાત્મા તરફ જ વળવા લાગ્યા. અને એના ટકોરા પડ્યા ત્યારે તેણે લગભગ નિશ્ચય કરી લીધો કે, સ નદી ઉપર શૈલોત મુકામે આવેલા કાર્મેલિત મઠમાં સાધ્વી બનીને જોડાઈ જવું, અને પરમાત્માની પ્રાર્થનામાં જ જીવન વ્યતીત કરવું.
અને તે મુજબ તે ગુપચુપ રાજમહેલમાંથી નીકળી ગઈ.
દરબાર-ગઢના પહેરાવાળાઓની નજર ચૂકવીને તે શી રીતે બહાર આવી, તે કોણ જાણે! અથવા જે ભગવાનની સેવામાં તે પોતાનું જીવન અર્પણ કરવા જતી હતી, તેમણે જ તેને સહીસલામત બહાર લાવીને મૂકી – એમ માનવું જોઈએ.
તેને રસ્તાની કશી ખબર ન હતી. એટલે સીં નદીનો આધાર લઈ તેને કાંઠે તે ચાલવા માંડી. છેક છેવટે પ્લાસ લા ગ્રેવે સુધી તે આવી, ત્યારે બે ત્રણ દારૂડિયાઓએ તેને આંતરી તથા સતાવવા માંડી. લા વાલિયેરે એ લોકોના પંજામાંથી છટકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ પેલાઓ તેની અસહાય સ્થિતિ સમજી ગયા હોવાથી કે વધારે પડતા પાગલ બન્યા હોવાથી – વધુ આક્રમક બન્યા અને લા વાલિયેર એક કારમી ચીસ પાડીને જમીન ઉપર તૂટી પડી.
તે જ વખતે એક દારૂડિયાના ડાબા લમણામાં ફટકો પડ્યો; અને બીજો જમણી બાજુ નદીની કિનાર તરફ ગબડવા લાગ્યો, ત્યારે ત્રીજો પગને બદલે લગભગ માથા ઉપર જ ઊભો થઈ ગયો હતો. બરકંદાજોનો એક અફસર, પરિસ્થિતિ પિછાની લઈ, ત્યાં ધસી આવ્યો હતો અને ગુસ્સાભરી આંખે એ દારૂડિયાઓને પડકારતો ત્યાં ઊભો હતો.
પેલા સરકારી વરદા જોતાંની સાથે હવા થઈ ગયા.
પેલો અફસર લા વાલિયર સામું થોડી વાર વધુ જોતાં જ બોલી ઊડ્યો, “કુમારી દ લા વાલિયેર તો નહીં?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org