________________
જાકારો!
૩૩૫ લા વાલિયેર હજુ મૂંગી રહી; માત્ર તેની ફાટેલી આંખમાં કારમી વેદનાનાં થોડાં લક્ષણો ઉમેરાયાં એટલું જ.
“હું આશા રાખું છું કે, તે મારો હુકમ સાંભળી લીધો છે, અને તેનો અમલ તરત જ થશે.” એટલું કહી મૅડમ પગ પછાડતી, એ ઓરડીમાંથી ચાલી ગઈ.
લા વાલિયેર આખો વખત ઈશુમૂર્તિ સામે જ તરફડતી પડી રહી. રાત પડવા લાગી, તેમ તેમ તેના મનમાં એક આશા ઉદય પામવા લાગી: ફેબ્લોથી આવતાં રાજાએ રસ્તામાં તેની પાસે શપથ લેવડાવ્યા હતા – બંનેએ હાથમાં હાથ રાખી અરસપરસ શપથ લીધા હતા: ‘દિવસ દરમ્યાન કોઈ પણ કારણે આપણને સાચી ખોટી ગમે તેટલી ચિંતા, હતાશા, કે ગેરસમજ થયાં હોય, તો પણ આપણે ફરી મળ્યા વિના, ખુલાસો કર્યા વિના, કે છેવટે આશ્વાસનનો સંદેશ મોકલ્યા વિના તે પછીની રાત પસાર નહિ થવા દેવી. અને એ મુલાકાત-ખુલાસો-કે-સંદેશ મળે એટલે પછી મનની ગમે તેવી ગેરસમજ કે ચિંતા કે ગુસ્સો એકદમ ફગાવી દેવાં.'
બિચારી લા વાલિયેર રાજાજી થરફથી ખુલાસાનો કે આશ્વાસનનો સંદેશ મળવાની આશામાં મોડી રાત સુધી બેસી રહી. પણ તે ભૂલી ગઈ કે, પ્રેમની વૃત્તિએ પ્રેમપાત્રના સંરક્ષણ માટે કે શાંતિ માટે જે ઉપાયો યોજ્યા હોય છે, તે બધા, ક્રોધ કે ઈર્ષાવૃત્તિ વ્યાપી રહે ત્યારે, યાદ નથી રહેતા; કારણ કે ક્રોધ-ઈર્ષ્યા તો પ્રેમ પાત્રને ઘા અને કારમો ઘા કેમ કરીને કરાય તેની જ પેરવી વિચારતાં હોય છે!
પણ મધરાતના ટકોરા પડયા, એટલે રાજાજીના સંદેશની આશા લુપ્ત થતી ચાલી. લા વાલિયેર હવે સમજી ગઈ કે, આ પૃથ્વી ઉપર તેને કોઈની તરફ મોં ફેરવવા જેવું રહ્યું નથી. બ્રાજલૉનને તો તે પોતે જ તજી બેઠી હતી; રાજાજીને જ પોતાના પ્રથમ પ્રેમી તરીકે તેણે ડરતાં ડરતાં કબૂલ્યા હતા અને છેવટે સ્વીકારી લીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org