________________
૩૪૨
પ્રેમ-પંક રાજાએ તેને મરેલી જાણી એકદમ ચીસ પાડી. દા નો તે સાંભળી તરત અંદર દોડ્યો. બંને જણાએ મળીને એ બિચારીને ઉપાડી. દાડૅ નંએ તરત ભય-ધંટ જોરથી વગાડવા માંડ્યો; કારણ કે તેને પણ લાગ્યું કે લા વાલિયેર મરી જ ગઈ છે.
મઠની અધ્યક્ષા તરત બહાર દોડી આવી; પણ રાજાને ઓળખી જઈ, તરત જ પાછી અંદર દોડી ગઈ, અને બીજી સાધ્વી મારફતે જોઈતી દવાઓ પાણી વગેરે મોકલાવ્યાં. અધ્યક્ષાએ મઠનાં બધાં બારીબારણાં બંધ કરાવી દીધાં; કારણ કે, રાજા ભારે ધમાલ મચાવી રહ્યો હતો અને પોતાના દાક્તરને બોલાવવા હુકમો આપી રહ્યો હતો. પુરુષ વર્ગનો આવો હુમલો સાધ્વીઓના મઠમાં હોય નહિ.
પણ તેવામાં જ લા વાલિયેર જરા સળવળી અને ભાનમાં આવી હોય તેમ તેણે ધીમેથી આંખ ઉઘાડી.
રાજા તરત જ તેના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. રાજાને જોતાં જ લા વાલિયેરે એવો ઊંડો-– ગંભીર નિસાસો નાંખ્યો કે, રાજાનો શ્વાસ છાતીમાં જ ઊંડો ઊતરી જવા લાગ્યો. લા વાલિયેરે રાજાને બરાબર ઓળખ્યો એટલે તે તરત તેના હાથમાંથી પડીને છૂટી થવા ગઈ.
“ભલા ભગવાન! હજુ દીક્ષાવિધિ પૂરો નથી થયો?” “ના, ના, અને હવે તે થશે પણ નહિ, હું સોગંદપૂર્વક કહું છું.”
પોતાની શક્તિ અને કારમી હતાશા છતાં, તરત લા વાલિયર ઊભી થઈ ગઈ અને બોલી, “એ અર્પણવિધિ થશે જ; મને કોઈ અટકાવી શકશે નહિ.”
“હું કદી તને મઠમાં અર્પિત થવા દઈશ નહિ, એ હું સોગંદપૂર્વક કહું છું.” દાન વખત વિચારી, તરત બહાર ચાલ્યો ગયો.
સરકાર,”લા વાલિયર હવે મક્કમતાથી બોલી, “એક શબ્દ પણ વધુ ન બોલશો; મારે માટે બાકી રહેલું એકમાત્ર ભવિષ્ય –મુક્તિ, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org