________________
જાકારો!
૩૩૩ બ્રાજલૉનનો લખેલો પ્રેમપત્ર આને મળ્યો હશે, એટલે તેનો પ્રેમ યાદ કરીને જ તે રડવા બેઠી હશે.
ક્રોધમાં પ્રેમીની ઈર્ષ્યા ઉમેરાઈ એટલે પછી રાજાની મનોવૃત્તિએ એકદમ પલટા ખાવા માંડયા. તેણે હવે લા વાલિયેરને એ જાતનાં ટાણાંથી જ વીંધવા માંડી. લા વાલિયેર એ કારી ઘા નીચે ઢગલો વળીને પડી રહી; તેનું હૃદય ફાટી જવા લાગ્યું; પરંતુ રાણીજી, રાણી-માતા અને મૅડમ સામે સીધી ફરિયાદ ન કરે ત્યાં સુધી તે બીજો શો જવાબ આપી શકે?
રાજાના ગુસ્સાઓ હવે માઝા મૂકવા માંડી. તેણે ગરજીને કહ્યું, “જુઓ કુમારીજી, છેવટનું સાંભળી લો; તમારે માંએથી એક શબ્દ કાઢવો છે કે નહિ? આ રીતની તમારી બેવફાઈ, ચંચળતા અને પતંગિયાવૃત્તિનો કશો ખુલાસો તમારે આપવાનો છે?”
“હું શું બોલું? સરકાર, હું અત્યારે એવી મૂંઝાઈ ગઈ છું કે, મારામાં બોલવાની પણ શક્તિ રહી નથી.
""
“પણ શાથી મૂંઝાયાં છો એ જ હું પૂછું છું ને? જે સાચી વાત હોય તે કહેવામાં મૂંઝવણ શી?”
“પણ કઈ બાબતની સાચી વાત?”
"
‘વધી ન બાબતની!”
લા લિયેર હવે લગભગ બેહોશ બનવાની અણી ઉપર આવી ગઈ હતી. તે બે હાથ પહોળા કરી રાજાજીના પગ પકડી પોતાને રાણીઓએ જે ટાણા માર્યા હતા તેની વાત કહેવા જ જતી હતી, પણ એક અચાનક આવી ચડેલા ડૂસકાથી તેનું ગળું રૂધાતાં, છેવટે તે એટલું જ બોલી બેઠી, “મને કાંઈ જ ખબર નથી.”
ખેલ ખલાસ ! રાજા હવે હુંકાર કરતો બોલી ઊઠયો, “ આ માત્ર ચંચળવૃત્તિ, બેવફાઈ કે ચાલાકી જ નથી; આ તો હવે રાજા સામેનો રાજદ્રોહ છે!”
66
અને પછી તરત સેંતેગ્નો સામે જોઈ તે બોલી બેઠો, “ જોયું, હું આ છોકરીને હાથે મૂરખ બન્યો તે? દ ગીશ વાઈકાઉંટ દ બ્રાલૉન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org