________________
૩૩૨
પ્રેમ-પંક રાજાએ તરત જ ચિંતાતુર થઈ, મમતાથી તેને “શું થયું છે,’ એમ પૂછવા માંડ્યું.
“મને કંઈ થયું નથી, સરકાર.” લો વાલિયરે ભાગી ગયેલા અવાજે જવાબ આપ્યો.
“તો પછી તારી આંખો લાલ કેમ છે?” મુસાફરીમાં કશુંક પડ્યું હશે, સરકાર.”
નહિ, નહિ, પ્રિય, તારી આસપાસ એવી મધુર શાંતિ અને તૃપ્તિ હરહંમેશ વ્યાપી રહેલી હોય છે કે, જેમાં આવીને પાવન થવા મન થાય. ઉપરાંત, હંમેશ તું મારા ઉપર એવી અમીભરી નજર ઠેરવી રાખે છે કે જેનાથી મારામાં જાણે નવા પ્રાણનો સંચાર થાય છે. પણ આજે તો તું મારી સામે નજર પણ મિલાવી શકતી નથી. માટે જે હોય તે સાચું કહી દે.”
સરકાર, કશું નથી; અને આપ મને જેવી જોવા હંમેશ ઇચ્છો છો, એવી જ હું છું.”
નહિ, નહિ, અત્યારે તું ચકલીશી-છળેલીશી દેખાય છે. તને કોઈએ ટાણો માર્યો છે? દૂભવી છે?”
“ના, સરકાર.”
“જો, હવે હું ગુસ્સે થઈ જઈશ; જે કંઈ સાચી વાત હોય તે મને તાબડતોબ કહી દે.”
પરંતુ લા વાલિયર દુ:ખી થઈને ઊલટી સદંતર ચૂપ થઈ ગઈ.
રાજા એકદમ છંછેડાઈ ગયો; જે ઉમળકાથી અને અત્યાર સુધી એકઠી થયેલી જે ઇંતેજારીથી તે અહીં આવ્યો હતો, તેનો આવો જ હેજ આવેલો જોઈ, તેનામાં એક પ્રકારની હિંસતા ઊછળી આવી.
અચાનક લા વાલિયેરના ઓરડામાં એક બાજુ ટિંગાવેલો ઑથોસનો ફોટો તેના જેવામાં આવ્યો. અને તેને એક ડંખ સાથે યાદ આવ્યું કે, એ ઑથોસના પુત્ર સાથે લા વાલિયેરનો વિવાહ થયેલો છે. તેને તરત જ એવી કલ્પના ગઈ કે ફેબ્લોથી પેરીસ પાછા ફરતાં, લંડનથી વાઇકાઉંટ દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org