________________
૪૯
જાકારો !
સાંજના સાડાછ વાગતાંમાં બધું કામકાજ પરવારી, કંઈક નાસ્તો જેવું કરી, રાજાજી જરા તાજા થયા, એટલે તરત તેમણે સેંતેશ્નોનો હાથ પકડી, પોતાને લા વાલિયેરના ઓરડા તરફ લેવા ફરમાવ્યું.
મેં તેનો બિચારો ડઘાઈ ગયો. તે બોલ્યો, “સરકાર, એમ કંઈ એ તહેનાતી બાનુઓના ઓરડામાં, વગર કારણે ન જઈ શકાય.”
વાહ, દેશનો રાજા કોઈ હોશિયાર ચબરાક છોકરી સાથે વાતચીત કરી આનંદ કરવા માગે, તેમાં શું ખોટું છે?”
પણ સરકાર, બીજાઓ ભલે કંઈ ન કહે, પણ આપે રાણીજી, રાણી-માતા એ બધાનોય વિચાર કરવો જોઈએને!”
ઠીક, ઠીક, કાલથી કંઈક બહાનું વિચારી કાઢીશું; પણ આજે તો કશા બહાના વિના સીધા જવું જ છે, એ નક્કી.”
તહેનાતી-બાનુઓના કમરા તરફ જવા જે આંગણું વટાવવાનું હતું, તેમાં મેડમ, રાણી-માતા અને રાણીજી એમ ત્રણેના કમરાની બારીઓ ખૂલતી હતી. સેંતેશ્નોને બિચારાને જલદી જલદી એ આંગણું પસાર કરતાં, કોણ જાણે ક્યાંથી તેના માથા પર શું આવી પડશે, તેની જ બીક લાગવા માંડી. સદ્ ભાગ્યે એ બધી બારીઓને પડદા નાંખેલા હતા, એટલે કોઈનું મેં તેમના તરફ તાકી રહેલું સીધું તો દેખાતું ન હતું.
લા વાલિયેરના કમરાનું બારણું આવતાં, મેં તેગ્નો બહાર જ ઊભો રહ્યો, પણ રાજાએ તેને સાથે જ અંદર લીધો. લા વાલિયેર તે ઘડીએ રડતી હતી, અને તેની આંખો લાલ લાલ થઈ ગઈ હતી.
૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org