________________
૩૨૮
પ્રેમ-પંક જઈને કહ્યું. મારિયા ઘેરેસાએ પણ રાજાજી બાબત હમણાં જ ચિતા વ્યક્ત કરી હતી.
લા વાલિયેર આવતાં જ રાણી માતાએ તેને પોતાની નજીક આવીને બેસવા જણાવ્યું તથા કહ્યું, “અમે હમણાં તારી જ વાત કરતાં હતાં.”
“મારી?” લા વાલિયરે ફીકી પડી જઈને કહ્યું.
“હા, મૅ૦ દ ગીશ અને મ0 દ વાર્દ વચ્ચે ઠંયુદ્ધ ખેલાયું તેની ખબર તો તને પડી જ હશે.”
“હા, મૅડમ, ગઈ કાલે જ મને એ વાતની ખબર પડી.” લા વાલિયેર પોતાના બે હાથ ભેગા મળતી બોલી.
“અને આ કેંદ્વયુદ્ધ થવાનું છે એની તને ખબર નહોતી?” “મને શી રીતે ખબર હોય, મેડમ?”
બે મરદો લડી પડે તો તેની પાછળ કાંઈ કારણ હોય જ; અને એ બે વચ્ચેની લડાઈનું કારણ તું જાણે છે જ.”
“મને જરા પણ ખબર નથી, તથા કલ્પના પણ નથી મૅડમ.” લા વાલિયેર મૂંઝાઈ જઈને બોલી ઊઠી.
એક જ વાતનો સતત નન્નો ભણ્યા કરવો, એ ગુનેગારોની ચાલ રીત જ હોય છે; પણ મારી આગળ એ બધી ઠાવકાઈ નહીં ચાલે, સમજી?”
ગુનેગાર? ઠાવકાઈ? માતાજી, આપ શું કહો છો?” લા વાલિયેર હવે તો છળી જ ઊઠી.
તો મારે મોઢે જ તારે કહેવરાવવું છે કેમ? મને કંઈ બીક નથી લાગતી. તો સાંભળ, મૅ૦ દ ગીશને તારા બચાવ ખાતર એ તંદ્રયુદ્ધમાં કૂદી પડવું પડયું.”
મારા બચાવમાં?”
“હા, હા; નમણી સાપણ જેવી સુંદર સ્ત્રીઓને પોતાના બચાવમાં બહાદુર વીરો તરવારો ખખડાવે એ ગમતું હોય છે; પણ હું તને મોંએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org