________________
કોલ અને કરાર
૩૨૩
લઈ, પછી આજુબાજુનું પ્રકૃતિ-સૌંદર્ય જોવા સામેની બારીએ મેાં કાઢીને બેસી ગઈ.
રાજાએ ગાડીમાં બેઠા બેઠા પોતાના પગ કેવા અકડાઈ ગયા હતા, અને અંદર પોતાને ગરમીથી કેવો મૂંઝારો થવા લાગ્યો હતો, તેની વાત કાઢી; અને પછી સદ્ભાગ્યે એક સમજણા માણસે સમજી જઈ પોતાને
આ ઘોડો આપ્યો, ત્યારે જરા મોકળા થવાયું– એ વાત કરી. તથા તે ભલો માણસ કોણ હતો, તેનું નામ પણ પોતે નથી જાણતો એ વાત કરી.
માંતાલેએ તે ઘડીએ તરત પાછી વળી જવાબ આપ્યો, “સરકાર, આ ઘોડો આપના ભાઈસાહેબ નામદાર મોંશ્યોરનો છે; અને તેમના જ રસાલાના એક સગૃહસ્થના કબજામાં તે ઘોડો હતો.’
..
“ પણ તે સદ્ગૃહસ્થનું નામ શું, તે મને કહેશો, માદમુઆઝોલ ?’' “મા૦૬ માલિકૉર્ન, સરકાર.
'
""
“ઠીક ઠીક, તે સદ્ગૃહસ્થનું માં તો ભુલાય તેવું નથી, અને હવે તેમનું નામ પણ હું યાદ રાખીશ.” આટલું કહી રાજાજીએ બહુ ભાવભરી આંખોએ લા વાલિયેર તરફ નજર નાખી.
તે જ ઘડીએ મેાંતાલે સમજી જઈને બારી તરફ પાછી વળી ગઈ. રાજાએ હવે લા વાલિયેરને પ્રેમના વિસ્તંભાલાપની રીતે કહેવા માંડયું, આ ગ્રામવિસ્તારમાં છૂટથી મળાતું હળાતું હતું તે હવે તો બંધ થવાનું; પેરીસમાં તો મૅડમની તહેનાત પણ તમારે કડકપણે ભરવાની થશે, એટલે આપણે તો મળી જ શકવાનાં નહિ!”
‘સરકાર, આપને તો મૅડમ સાથે ઘણો નિકટનો સંબંધ છે, એટલે તેમને મળવા આપ અવારનવાર આવ્યા જ કરશો; જ્યારે આપ ત્યાં આવશો ત્યારે રસ્તામાં ~
""
66
..
“વાહ, માત્ર નજર પડે એટલાથી મળ્યા ન કહેવાય; જોકે, તમને તો એટલાથી જ સંતોષ થઈ જાય એમ મને લાગે છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org