________________
ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૩૧૭ “મેડમ, તે એટલા બધા ગંભીરપણે ઘવાયા હતા કે, તેમને દરબારગઢ સુધી લાવવા અશકય હતું.”
તમે તમારા ઘાયલ મિત્ર પાસે જ જાઓ છોને?” “હા જી; કદાચ વધારે પડતો મોડો ન પડયો હોઉં તો!” “તો મારી એક સેવા બજાવો –” “હું આપનો સેવક છું.”
મેં૦ દ ગીશ પાસે જઈ, ત્યાં કમરામાં બીજું જે કોઈ હોય તેને બહાર કાઢોઅને પછી તમે પોતે પણ નીકળી જજો.”
“મેડમ --”
“કશું વધુ ન પૂછશો; હું કદાચ મારી એક કે બે તહેનાતબાનુઓને તમારી સાથે મોકલું છું- પણ તમારે તેમને જોવાની નથી, અને તેઓ તમને જુએ એમ પણ થવા દેવાનું નથી. તમે બધું સમજી જાઓ એટલા ચાલાક છો જ, મેં૦ માનિક.”
“હા મેડમ; હું તે બે બાનુઓની થોડે આગળ આગળ જ ચાલીશ, જેથી તેમને રસ્તો શોધવો ન પડે; તેમ જ રસ્તામાં તેઓ છેક જ અરક્ષિત ન રહે.”
“અને તેઓ કાઉંટ સુધી નિવિદને જઈ શકશે, એની તમને ખાતરી છે?”
“હા નામદાર, મારા પ્રાણ હોડમાં રહેશે.”
તો દાદર નીચે ઊભા રહો; બે બાનુઓ આવશે, તમને દેખી તેઓમાંની એક ધીમેથી એક તાળી વગાડે, એટલે તમારે નિશાની સમજી લઈ, પાછળ જોયા વિના તરત આગળ ચાલવા માંડવાનું અને તેમને છેક કાઉંટ સૂતા છે તે ઓરડી સુધી પહોંચાડી દેવાની.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org