________________
૩૧૬
પ્રેમ-પંક હવે આપ નામદાર સમજી શકશો કે, મારો મિત્ર કોઈ પણ સંજોગોમાં શાથી આ તકરાર માથે વહોર્યા વિના રહી ન શક્યો. તેણે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ પોતાના જીવનથી જેને વધુ કીમતી ગણે છે તેનું માન-ધન તેણે સુરક્ષિત રાખ્યું છે – ભલે પછી તે પોતે હવે મૃત્યુના પંજામાં – ”
“અરે, અરે, તો એ યુદ્ધ માટે કારણે કાઉંટે વહોર્યું હતું શું? અને તે મૃત્યુના પંજામાં એટલે?” મેડમ હવે રઘવાઈ જઈને ભાન ભૂલીને બોલી ઊઠી.
હા, હા; તેમનો એક હાથ તૂટી ગયો છે અને તેમની છાતીમાં ગોળી પેસી ગઈ છે.” અને આટલું બોલતાંમાં માનિક પોતે જ હવે અત્યાર સુધી ધારણ કરી રાખેલા દેખાવને પડતો મૂકી ડૂસકે ચડ્યો અને શિષ્ટાચારનો વિચાર છોડી મેડમ સામે જ ખુરશી ઉપર ઊંધું મોં રાખી બેસી પડયો.
મેડમે તરત માનિકનો હાથ પકડી લીધો અને કહ્યું, “મને ચોખ્ખી વાત કરો; શું મૉ૦ દ ગીશના જાન ઉપર જોખમ છે?”
બેવડું જોખમ છે, મેડમ, હાથની ધોરી નસ કપાઈ જવાનું અને છાતીમાં કોઈ મર્મસ્થાનને નુકસાન થયાનું.”
તો શું તે મરણ જ પામશે, એમ?”
“હા જી; અને જેને માટે તે મરણ પામે છે, તેને એ વાતની કશી ખબર પડી છે, એવા આશ્વાસન વિના!”
તમે કહી દેજો કે, ખબર પડી છે.” હું?”
કેમ, તમે તેમના મિત્ર નથી? પણ ઠીક; તે કયાં છે, અને તેમની સારવાર કોણ કરે છે?”
“રાજાજીના દાક્તર તેમની સારવાર કરે છે, અને તે દાક્તરના ધંધાદારી મિત્રને ત્યાં જ તેમને રાખવામાં આવ્યા છે.”
“તો શું અહીં દરબાર-ગઢમાં તે નથી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org