________________
૩૧૪
પ્રેમ-પંક
જંગલી સુવ્વર સાથેના દ્વંદ્વયુદ્ધને એ મનાઈ શી રીતે
“ પણ લાગુ પડે, મૅડમ ? ”
..
“જુઓ મૅશ્યોર દ માનિકોં, બધા જ એ ગપ મારી રહ્યા છેકોને છેતરવા માટે એ તો તે જાણે – પણ એ ગપથી મને છેતરી શકાશે એવી દુરાશા રાખશો નહિ. રાજાજીએ જ તમારી એ ગપને જરાય સાચી માની, વારુ?”
66
તદ્દન સાચી માની છે, મૅડમ.'
“ઠીક, તેમણે શાથી સાચી માની તે વાત પછી; પણ અહીં તો સૌ કોઈ કહે છે કે, મોં૦ દ ગીશે પોતાના મિત્ર મ દ બ્રાજલૉન વતીની તકાર માથે વહોરી લીધી હતી.”
“માં ૬ બ્રાજૉન વતીની તકરાર? આપની વાત સાંભળીને મને નવાઈ થાય છે.”
“અને કોઈ બાનુની ઇજજત-આબરૂ અંગે એ તકરાર થઈ હતી, તે વાત હું કહીશ તો તે વાતની પણ તમને વિશેષ નવાઈ થશે, નહિ વારુ? "
“મૅડમ, મૅડમ! આ બધું આપ શું બોલી રહ્યાં છો, તે બાબત જરા વિચાર કરો !”
“વાડુ, વાહ, હું જો પુરુષ હોત, તો તો તમે મારી વાત ઉપર તરવાર ખેંચી લડવા જ તૈયાર થાત, ખરું? રાજાજીનો મનાઈહુકમ હોય છતાં, હેં? જેમ દ ગીશ, કુમારી દ લા વાલિયેરની વાત ઉપર મરવા તૈયાર થયા તેમ!'
“હું હવે કશું કહેવા નથી માગતો, મૅડમ; કારણકે, આપ જ બધું કહેવા માગો છો.'
“હા, હા; પણ તમારા મિત્રની તમારે દયા ખાવી જોઈએ; રાજાજીનો મિજાજ ખરાબ છે; જે કુમારીની ઇજ્જત-આબરૂ બચાવવા તમારા મિત્ર કૂદી પડયા, તે કુમારી રાજાજીની નજરમાં વસેલાં છે, અને તે કુમારીની ઇજજત-આબરૂ ઉપર હાથ નાખનારની ખબર લઈ નાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org