________________
ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા
૩૧૩
એકલા પડતાં જ રાજાએ તરત સેતેગ્નોને પૂછયું, “હવે દ ગીશને કોની સાથે લડાઈ થઈ હતી, તે કહી દે જોઉં,'
,,
સેતેગ્નો રાજા સામું જોઈ રહ્યો.
‘સંકોચ કરવાની જરૂર નથી; તું જુએ છે કે, મારે માફી આપવી પડે તેવું જ બધું એ કિસ્સામાં નીકળતું જાય છે!”
“દવાર્દ સાથે.''
44
“ઠીક, ઠીક; માફી આપવી એટલે ભૂલી જવું, એવો અર્થ તો નથી જ થતો!” રાજાએ પોતાના કમરામાં જતાં જતાં કહ્યું.
૪૫
ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા
માનિકોં રાજાજી પાસેથી બહાર નીકળી દાદર ઊતરી રહ્યો કે તરત તેને પાછળથી કોઈએ ખેંચ્યો.
માનિકોંએ પાછળ વળીને જોયું તો મેાંતાલે.
"
“માંશ્યોર જરા જલદી મારી પાછળ પાછળ આવો જોઉં. '
‘કયાં, કુમારીજી?”
“ધ, સાચો બહાદુર આવો પ્રશ્ન તે પૂછતો હશે? પણ ઠીક; મૅડમના કમરા તરફ ચાલો જોઉં, જલદી.”
માનિકોં સમજી ગયો કે, જંગલી સુવ્વરની વાત ત્યાં ચલાવ્યે રાખવાથી બચી શકાવાનું નથી; કંઈક બીજો તુક્કો અજમાવવો જોઈશે. માનિક અંદર દાખલ થતાં જ, મૅડમે માંતાલેને બહાર જવા નિશાની કરી. પછી મૅડમે તરત માનિકોં તરફ ફરીને પૂછ્યું, "( દરબાર
ગઢમાં કોઈ ઘાયલ થઈને સૂતું છે, એ વાત ખરી છે?”
""
‘હા, મૅડમ; મૅશ્યોર દ ગીશ જ પડેલા છે.”
“મે ઊડતી વાત સાંભળી હતી; પણ હવે ખાતરી થઈ. પરંતુ મૅ૦૬ માનિકોં, રાજાજીએ યુદ્ધની કડક મનાઈ કરેલી છે ને?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org