________________
૩૧૨
પ્રેમ-પંક દાન, મેં તેગ્નો, અને દાક્તર અંદર દાખલ થયા. તે બધાને સંબોધીને રાજાએ ફરમાવ્યું, “જુઓ સગૃહસ્થો. મેંશ્યોર દ માનિકોનો ખુલાસો મને એટલો બધો ગળે ઊતરી ગયો છે, કે મને પૂરો સંતોષ થયો છે. પણ મેંશ્યોર દાન, તમારી આંખો આવી કાચી કેમ પડી, એ વાતની મને નવાઈ થાય છે.”
“મારી આંખો, સરકાર?”
“હા, હા, તમે મેદાન ઉપર જઈને જોઈ આવ્યા, તો તમને બે ઘોડાઓ, બે ઘોડેસ્વારો, બે માણસોનાં પગલાં એમ બધું દેખાયું; ખરી રીતે એક જ માણસ હતો અને તે દ ગીશ; બીજું તો જંગલી સુવર હતું. છતાં તમે વર્ણન તો એવું કર્યું કે, ઘડીભર તો હું તમારી વાત જ માની બેઠો. પણ તેવું કશું જ બન્યું નહોતું. બે માણસ વચ્ચે તંદ્વયુદ્ધ થયું જ નહોતું; જંગલી સુવર સાથે અકસ્માત થયો હતો, સમજ્યા?”
દાન્તનાં રાજાજીની મરજી બરાબર સમજી ગયો અને તેણે તરત નીચા નમીને કહ્યું, “ખરી વાત છે સરકાર; તબેલાના મૂરખ ફાનસના અજવાળામાં બધું એવું ગોટાળિયું જ દેખાય; પરંતુ આપ નામદારના આવા ઝળાંઝળાં થતા કમરામાં જે દેખાય, તે જ ખરું હોવું જોઈએ.”
રાજા હસી પડ્યો; સેંતેશ્નો તો બધી મજાક પામી જઈ, વધુ જોરથી ખડખડાટ હસી પડ્યો.
દાનોએ તરત જ પેલા દાકતરના ગળામાં પણ રાજાજીની મરજી ઊતરી જાય તે માટે તેને કહ્યું, “માંશ્યોર વાઢ-કાપજી! તમને પણ ગોળીચપટી થયેલી ખોતરી કાઢયાનું કેવુંક વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું?”
“સ્વપ્ન આવ્યું હતું?”
“હા, હા, દાક્તર, તમને સ્વપ્ન જ આવ્યું હતું અને એ સ્વપ્નની વિગતો કોઈની આગળ બોલી બતાવવાની જરૂર નથી, એવી મ૦ દાતેની સલાહ તમારે સ્વીકારવા જેવી છે.” રાજાજીએ પૂરું કરી આપ્યું.
દાને હવે દાક્તરને લઈને બહાર ચાલતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org