________________
મુકાબલો
૩૦૯
“માનિકો, તમે બહાદુર માણસ છો; અને રાજાજી પણ તમારા વર્તનની કદર જરૂર કરે છે, પરંતુ તમારા મિત્રોને વધારે પડતા બચાવવા જતાં તમે ઊલટા પાયમાલ કરી મૂકશો. બોલો, રાજાજી જે નામ પૂછે છે, તે તમે જાણો છો કે નહિ?”
“હું જાણું છું.”
તો તમે તે કહી દો !”
“જો કહી દેવું જોઈએ એમ મને લાગ્યું હોત, તો મેં ક્યારનું કહી દીધું હોત.”
“તો હું કહી દઉં છું.”
“તમારે કહેવું હોય તો જરૂર કહી શકો છો; અને નામદાર સરકાર, હું પણ આપના હુકમને સર્વથા અવગણવા જેવો મહાપરાધ ન કરત, પરંતુ તેમાં એક બાજુની ઇજજતનો સવાલ સંડોવાયેલો હોઈ, મારે તેમ કરવું પડયું છે, એટલો ખુલાસો કરતા જવાની પરવાનગી મને અવશ્ય
બક્ષશો.”
બાનુની ઈજજત?” રાજા કંઈક મૂંઝાઈને બોલ્યો. “હા, સરકાર.” “તો આ દ્વયુદ્ધ કોઈ બાનુની ઇજજતના સવાલ ઉપર લડાયું
હતું?”
માનિકૉએ માત્ર વંદન કરી, એ વાતનો સ્વીકાર કર્યો.
“પરંતુ એ બાનુનો હોદ્દો જો ખરેખર જ એવો મોટો હોય, તો હું તમને જરૂર માફ કરીશ.”
સરકાર, આપ નામદારના કે આપ નામદારના ભાઈજીના ઘરની બાનુઓ સરખી જ પ્રતિષ્ઠિત ગણાય.”
એટલે કે, એ બાનુ મારા ભાઈના ઘરમાં કંઈક હોદ્દો ધરાવે
છે?”
“અથવા મેડમની તહેનાતમાં સરકાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org