________________
મુકાબલો
૩૦૭ “પણ તો તો મારે તમારા ઉપર ગુસ્સે થવું જોઈએ; તમે કાઉંટના મિત્ર ગણાઓ છો, છતાં, તમે તેમને એ દીવાનાપણામાંથી રોક્યા કેમ નહિ?”
તે જ ઘડીએ રાજાજીનો દાક્તર અંદર દાખલ થયો.
રાજાજીએ પૂછયું, “શું દાક્તર, તમે ૦ દ ગીશને જોઈ આવ્યા? જંગલી સુવર તેમના શરીરનો કેટલો ભાગ ખાઈ ગયું છે?”
શાની વાત પૂછો છો, સરકાર? મ0 દ ગીશને ને જંગલી સુવરને શી લેવા દેવા? તેમને તો પિસ્તોલની ગોળી વાગી છે એ ગોળી તેમના જમણા હાથની વીંટીની આંગળી અને નાની આંગળીને તોડી, છાતીના સ્નાયુમાં ઘૂસી ગઈ છે.”
“હું? શું મેં૦ દ ગીશ ગોળીથી ઘાયલ થયા છે?”
જુઓને સરકાર, એ ચપટી થયેલી ગોળી આ હું કાઢી લાવ્યો.” એમ કહી દાક્તરે ખીસામાંથી એક ગોળી કાઢીને બતાવી. “એ ગોળી તેમની પિસ્તોલના ઘોડા ઉપર કે છાતીના હાડકાની જમણી બાજ ઉપર પછડાઈ ચપટી થઈ ગઈ, એટલે ઊંડી ઊતરી નહિ, નહિ તો તેમનું કામ કયારનું તમામ થઈ જાત.”
શું માનિક? તમે તો જંગલી સુવ્વરની, દીવાનાપણાની કે એવી કંઈ વાત કરતા હતા, અને આ તો સીધો પિસ્તોલની ગોળીનો મામલો છે; બોલો, આ બધું શું છે? તમે મને જૂઠી ઉપજાવી કાઢેલી વાત કરવાની હિંમત કરી, એ શું?”
“સરકાર, મારી વાતને જૂઠી અને ઉપજાવી કાઢેલી આપ ફરમાવો છો, એ બહુ આકરા શબ્દો છે.”
તો તમે તે માટે બીજા શબ્દો શોધી આપો.”
ના સરકાર, મારે એવો પ્રયત્ન નથી કરવી; આપ જે ઠપકો આપવો ઉચિત માનો, તે નમ્રપણે સ્વીકારવા હું તૈયાર છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org