________________
૪૪
મુકાબલા
માનિક અંદર દાખલ થયો એટલે રાજાએ દાતને અને સેતેગ્નાને બિલકુલ ચૂપ રહેવા નિશાની કરી. પછી માનિકોંએ આવીને સલામ ભરી એટલે રાજાએ તરત તેને પૂછયું, “કાઉંટ દ ગીશને જે કમનસીબ અકસ્માત નડયો તેની હકીકત કહો જોઉં.'
""
માનિકાએ આસપાસ સૌ સામે નજર કરી લઈ બેધડક જવાબ આપ્યો કે, “જંગલી સુવ્વરનો શિકાર કરવા જતાં એ કરુણ અકસ્માત થયો છે, નામદાર.
,,
66
પણ જંગલી સુવ્વરનો શિકાર કરવા માટે સાથે કૂતરાઓ વિના કે શિકારીઓ વિના, ૬ ગીશ એકલા દોડી ગયા, એ તો કોઈ સદ્ગૃહસ્થની શિકારની રીત ન કહેવાય !”
6c
‘સરકાર, જુવાની દીવાની છે! વિશેષ શું કહી શકાય ?” ‘પણ જંગલી સુવ્વર સામેય પિસ્તોલથી લડવા જવાનું ઇચ્છનારો મે હજુ કોઈ જાણ્યો નથી; પિસ્તોલથી તો દૃયુદ્ધ લડાય !' રાજાએ
કટાક્ષમાં કહ્યું.
“સરકાર, અમુક કામ કર્યા પછી, તે શા માટે એમ જ કર્યું એનો ખુલાસો આપવો હંમેશ મુશ્કેલ હોય છે. ”
“પણ ઘોડા ઉપર બેસીને સુવ્વરનો શિકાર કરવા જતાં ઘોડાના લમણામાં પિસ્તોલની ગોળી શી રીતે વાગી, એનું કારણ આપવું કદાચ મુશ્કેલ નહિ હોય, મોંશ્યોર! એ ઘોડો ત્યાં મરેલો પડેલો છે!” “બધું દીવાનાપણા જેવું તો લાગે જ છે, સરકાર.”
૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org