________________
દાર્ડેનોની કામગીરી
૩૦૫
“એ બંને પ્રતિસ્પર્ધીઓ સાથે એક એક સાક્ષી પણ હતો ખરું? તમે બે માણસો તેને પાછો ચલાવી લાવ્યા એમ કહ્યું ને?” રાજાએ થોડો વિચાર કરીને પૂછ્યું.
“એ માણસ સાક્ષી નહોતા, સરકાર; દગીશ ગબડી પડયા એટલે તેમનો પ્રતિસ્પર્ધી તેમને મરેલા માની કે મરવા માટે પાછળ મૂકી શહેર તરફ દોડી આવ્યાનાં ચિહ્નો છે.”
66
નાપાક, કાયર !”
“પછી બે માણસો પગપાળા ત્યાં પાછા ગયા છે, અને દ ગીશને જીવતા જોઈ, સાથે ચલાવી લાવ્યા છે.
,,
“પણ એ બે જણ લડાઈ પતી ગયા પછી આવ્યા હતા એ વાતની સાબિતી શી છે?'
‘સરકાર, જ્યારે લડાઈ થઈ ત્યારે વરસાદ તરતનો જ થંભ્યો હતો, તેથી જમીનને ભેજ ચૂસવાનો વખત મળ્યો નહોતો, એટલે ત્યાં પડેલાં પગલાં ઊંડાં ઊતરેલાં છે. પણ જ્યારે માં ૬ ગીશ ત્યાં બેભાન હાલતમાં પડયા હતા, ત્યારે જમીન ભેજથી જામી ગઈ હતી, તેથી પછી આવેલા માણસોનાં પગલાં બહુ ઊંડાં ઊતર્યાં નથી.”
“શાબાશ, શાબાશ ! ”
64
તે જ ઘડીએ રાજાજીના હુકમથી માનિકોને લઈને સેતેગ્નો અંદર દાખલ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org