________________
૩૦૩
દાતેની કામગીરી બીજો ઘોડો તો વચ્ચે મરેલો જ પડ્યો છે, એટલે તેને વિષે કલ્પના કરવાની જરૂર નથી.”
“તે ઘોડો શાથી મરી ગયો છે?”
તેના લમણામાં થઈને પિસ્તોલની ગોળી પસાર થઈ ગઈ છે. કિનારે ગોળાકાર ખસનારાઓ એ ઘોડાને અને ઘોડેસવારને બાજુથી સારી રીતે તકાય તે માટે જ પોતાની હિલચાલ કરી હોવી જોઈએ. અને મરેલા ઘોડાવાળો ઘોડેસવાર અધવચ આવ્યો કે તરત જ પેલાએ ગોળી છોડી છે : અર્થાત દગાબાજી થઈ છે!”
આગળ ચાલો.”
“પેલો ઘોડેસવાર, ઘોડા નીચેથી થોડા પ્રયત્ન નીકળી જઈ, સીધો પગપાળો, પેલા કાળા ઘોડાવાળા તરફ દોડયો, અને પછી તેણે ગોળી છોડી. તેનાથી કાળા ઘોડાવાળાનો ટોપો ઊડી ગયેલો ત્યાં જ દેખાય છે. પણ તે જ ઘડીએ પેલા કાળા ઘોડાવાળાએ ત્રીજી ગોળી છોડી હોવી જોઈએ (કારણ ત્યાં ત્રણ ડૂચા પડેલા છે.), તે ગોળી આ પગપાળાને વાગી. તેમ છતાં તે પેલા કાળા ઘોડાવાળા તરફ ધસી તો ગયો જ, પણ પોતાની પિસ્તોલ ફોડી શકે તે પહેલાં તે જમીન ઉપર નીચે ફસડાઈ પડ્યો લાગે છે.”
“તે ક્યાં ક્યાં ઘાયલ થયેલો છે?”
તેની નાની આંગળી પરની વટીનો થોડો ભાગ ત્યાં પડેલો છે; એટલે તેને જમણે હાથે તે ઘાયલ થયેલો છે, એ નક્કી; પણ ત્યાંથી બે ફૂટને અંતરે લોહીનું ખાબોચિયું છે, તે ઉપરથી એમ લાગે છે કે, તેની છાતીમાં પણ ઘા થયો હોવો જોઈએ.”
“બિચારો દ ગીશ!” રાજા નિસાસો નાખીને બોલ્યો.
હાં સરકાર, તો એ દ ગીશ હતા કેમ? મેં પેલા મરેલા ઘોડાના જીન ઉપર તેમની મુદ્રા જોઈ હતી.”
તો તમને એમ લાગે છે કે, તે બહુ ગંભીરપણે ઘાયલ થયેલો
છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org