________________
૪૩ દર્તિનેની કામગીરી
રાજાજીએ પૉસને પોતાના ટેબલ ઉપર સાથે વાળુ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. તે વખતે પૉસે ખાવાની બાબતમાં જે વિક્રમ સ્થાપી આપ્યો, તે જોઈ રાજાજી ખુશખુશાલ થઈ ગયા, અને સૌ કોઈને વારંવાર સંભળાવવા લાગ્યા, ‘ખાય તે જ ધાય!'
ઊઠીને બહાર નીકળ્યા કે તરત રાજાજીને સંતોએ ખબર આપ્યા કે, “દ ગીશને અકસ્માત નડ્યો છે, તેમનો એક હાથ છેક જ ટી ગયો છે અને છાતીમાં મોટું કાણું પડ્યું છે – અને તે લગભગ મરવાની તૈયારીમાં છે.”
પણ એ બધું બન્યું શી રીતે? પૂરી વિગતો જણાવીને વાત કરવી જોઈએને!”
“સરકાર, એમ કહેવાય છે કે, તે જંગલી સુવરનો શિકાર કરવા એકલા ગયા હતા.”
“સાંજે?” “હા, સરકાર.”
અને સુવરનો શિકાર કરવા જતાં છાતીમાં કાણું પડે અને હાથ તૂટી જાય?”
“સરકાર, તેમનો મિત્ર માનિકો એમ કહે છે.”
“પણ છાતીમાં કાણું તો પિસ્તોલ ફૂટી ગઈ હોય તો પડે; અને સુવરનો શિકાર કરવા કોઈ પિસ્તોલ લઈને આજ સુધી તો ગયો નથી.”
૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org