________________
દ વાઈ
૨૯૧ વાર્દ; અથવા કહો કે, સારે નસીબે તે અહીં હાજર નથી!” મૅડમે સણસણતો જવાબ આપ્યો.
દ વાર્દની આંખો જાણે સળગી ઊઠી. તે અંતે મૂઠીઓ વાળીને બોલ્યો, “તે અહીં હોય તેના જેવું રૂડું બીજું કશું નહિ!”
દ ગીશ જરા પણ હાલ્યો નહિ. મેડમને આશા હતી કે તે પોતાની મદદે આવશે. મોંશ્યોર જરા સંકોચમાં પડી ગયા. શવાલિયેર દ લૉરેઇન હવે વચ્ચે ટપકી પડ –
મેડમ, દ વાર્દ બરાબર જાણે છે કે, બકિંગ્ડામનું હૃદય ઘવાયું એ કંઈ નવાઈની વાત નથી, અને તેવું બધું તેમને પહેલાં અનેક વાર બની ચૂકેલું છે.”
મેડમ સમજી ગઈ કે, હવે એકને બદલે બે શત્રુઓ સાથે તેને કામ પડવાનું છે. એટલે તેણે વાતચીતનો વિષય બદલી નાંખ્યો. અને રાજદરબારનો નિયમ છે કે, રાજવંશીઓ વાતચીત બદલે, પછી કોઈ દરબારી વાતને પાછી મૂળ મુદ્દા તરફ વાળી શકે નહિ.
થોડી વારે મૅડમ પોતાના કમરા તરફ પાછી ગઈ. મેંશ્યોરને કંઈક પૂછવાનું હોવાથી તે સાથે સાથે ગયો. શવાલિયેર લૉરેઇન સમજી ગયો કે, એ પતિ પત્ની વચ્ચે મેળ થઈ જાય કે રહે એ સારું નથી; એટલે તે માંશ્યોર પાછા આવે ત્યારે તેમને સંકોરવા માટે તેમના કમરામાં જઈને બેઠો.
દ ગીશ હવે દ વાર્દને તેના ખબર પૂછનારાઓ પાસેથી છોડાવી બહાર લઈ ચાલ્યો.
“હું, પ્રિય દ વાઈ, તમે તો આવતાંવેંત દરબારમાં સારી અસર પાડી દીધી ને કંઈ ”
હા, હા, બહુ જ સારી અસર પડી છે, તમે જોયું ને?”
પણ તમે તે બાજુથી અમારે માટે શા વિશેષ સમાચાર લાવ્યા છે, તે તો કહો.”
હું તો કંઈ સમાચાર નથી લાવ્યો; ઊલટો હું તો અહીં સમાચાર મેળવવા આવ્યો છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org